રિક્ષાવાળા જોડે ભાડાંની માથાકૂટ કરતાં પહેલા ચેતજો! અમદાવાદના નિકોલમાં હૈયું કંપાવે તેવી ઘટના

રિક્ષાવાળા જોડે ભાડાંની માથાકૂટ કરતાં પહેલા ચેતજો! અમદાવાદના નિકોલમાં હૈયું કંપાવે તેવી ઘટના

રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા માટે પોલીસ કડક વલણ અપનાવી રહી છે છતાં પણ અસામાજિક તત્વો બેફામ બનતા હોય તેવું જણાઈ રહ્યું છે. વર્તમાન સમયમાં માણસની માનસિક્તા બદલાતી હોય તેમ નાની નાની બાબતમાં વિકૃત હરકત કરી લે છે અને નજીવી બાબતે કોઈના પર હુમલો કરવો તો જાણે સામાન્ય જ બની ગયો તેવું જણાઈ રહ્યું છે. અમદાવાદના નિકોલમાં રિક્ષા ચાલકે યુવક પર હુમલો કર્યોનું જાણવા મળ્યું છે.

નિકોલમાં રિક્ષા ચાલકે યુવક પર કર્યો હુમલો
અમદાવાદમાં રિક્ષા ચાલકે એક યુવક પર હુમલો કર્યો છે. સમગ્ર ઘટના આવી છે કે, રિક્ષા ચાલક અને મુસાફર સવાર વૃદ્ધ વચ્ચે ભાડા બાબતે બોલાચાલી થઈ જે બાદ રિક્ષા ચાલકે વૃદ્ધને ભાડાની બાબતે જ મારામારી કરી હતી. તે વૃદ્ધને બચાવવા માટે યુવક ગયો હતો અને આ બધી ઘટના વચ્ચે તે રિક્ષા ચાલકે યુવક પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો છે. રિક્ષા ચાલકોની મનમાની સૌ કોઈ જાણે છે પરંતુ આવી ભાંડાની સામાન્ય બાબતે હુમલો કરવો તે એક મોટી બાબત છે. રિક્ષાવાળા જોડે ભાડાંની માથાકૂટ કરતાં પહેલા ચેતજો!

રિક્ષા ચાલકે યુવકને મારી નાખવાની આપી ધમકી
રીક્ષા ચાલકે યુવક પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો છે જે બાદમાં તે રિક્ષા ચાલકે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. જે સમગ્ર ઘટના બાબતે નિકોલ પોલીસે રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow