મોર્નિંગ વૉક પર જતાં પહેલા ચેતવું! અમદાવાદમાં વહેલી સવારે લૂંટતા બે કુખ્યાત લૂંટારા ઝડપાયા, 10થી વધુ ગુનામાં સામેલ

મોર્નિંગ વૉક પર જતાં પહેલા ચેતવું! અમદાવાદમાં વહેલી સવારે લૂંટતા બે કુખ્યાત લૂંટારા ઝડપાયા, 10થી વધુ ગુનામાં સામેલ

અમદાવાદના નરોડામાં રાહદારીઓને લૂંટી લેતા લૂંટારાઓની પોલીસે ધરપકડ કરી છે. જેની તપાસમાં કુલદીપ ઉર્ફે બોબી પરમાર અને રૂપેશ રાઠોડ નામના લૂંટારૂઓ પોતાની એક્સેસ ગાડી લઈને લૂંટ કરવા માટે નીકળતા હતા અને એકલા જતાં રાહદારીઓને છરીની અણીએ લૂંટ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે નરોડા અને સરદારનગર વિસ્તારમાં થયેલી લૂંટના પગલે CCTVના આધારે વોચ ગોઠવીને બંને લૂંટારૂને ઝડપી પાડ્યા હતા જેના પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવીને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.

આરોપીઓ છરીની અણીએ લુટ ચલાવતા હતા

આરોપી કુલદીપ ઉર્ફે બોબી પરમાર અને રૂપેશ રાઠોડ છે આ બંને આરોપીઓ મજૂરી કરે છે પરંતુ વહેલી સવારે લુંટારુ બનીને રાહદારીઓને ટાર્ગેટ કરે છે. ઘટનાની વિગત નરોડા વિસ્તારમાં એક રાહદારી પાસેથી આ બંને લૂંટારો દ્વારા લૂટ ચલાવવામાં આવી હતી. આરોપીઓ એકલા નીકળતા તેનો લાભ લઈને તેની નજીક જઈ છરીની અણીએ લુટ ચલાવતા હતા. આ પ્રકારે અમદાવાદના નરોડા વિસ્તારમાં બે જેટલા ગુનાનો ભેદ પોલીસે ઉકેલીને બન્ને આરોપીની ધરપકડ કરી છે.

બન્ને આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા

આરોપી કુલદીપ ઉર્ફે બોબી પરમાર કુખ્યાત આરોપી છે તેની વિરુદ્ધ અગાઉ નરોડા અને સરદાર નગરમાં લૂંટના 10 જેટલા ગુના નોંધાયા હતા. આ બન્ને આરોપીએ નરોડા અને સરદારનગર વિસ્તારમાં આંતક મચાવ્યો હતો. જેથી પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીની ઓળખ કરીને વોચ ગોઠવીને બંન્ને આરોપીને ઝડપી લીધા. ત્યારબાદ નરોડા પોલીસે બન્ને આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવીને લૂંટનો મુદામાલ જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow