હાથમાં કાળી ઘડિયાળ કે દોરો બાંધ્યો હોય તો ચેતજો! આ રાશિના જાતકોને થાય છે મોટું નુકસાન

હાથમાં કાળી ઘડિયાળ કે દોરો બાંધ્યો હોય તો ચેતજો! આ રાશિના જાતકોને થાય છે મોટું નુકસાન

હાથ, પગ કે ગળામાં કાળો દોરો પહેરવાના ઘણા ફાયદા છે અને એ વિશે અઆપણે ઘણું સાંભળ્યું પણ હશે કે કાળો દોરો ખરાબ નજરથી રક્ષણ આપે છે.

આ સાથે જ જ્યોતિષ શાસ્ત્રમાં કાળો દોરો પહેરવા વિશે અનેક ઉપાયો અને યુક્તિઓ પણ બતાવવામાં આવી છે. આ બધા સાથે જ્યોતિષશાસ્ત્રમાં અલગ-અલગ રાશિના લોકો પર તેની પડતી અલગ-અલગ અસર વિશે પણ ઘણું જણાવવામાં આવ્યું છે.

આપણે બધા જાણીએ છીએ કે કાળો રંગમો સીધો સંબંધ શનિ સાથે છે અને એટલા માટે જ હાથ-પગ અથવા શરીરના કોઈપણ ભાગમાં કાળો દોરો કે કાળી ઘડિયાળ પહેરવાથીએ વ્યક્તીના જીવન પર તેની ઘણી અસર થાય છે. આ અસર શુભ કે અશુભ હોઈ શકે છે.

એવામાં આજકાલ લગભગ દરેક વ્યક્તિ હાથમાં બ્લેક બેન્ડ અથવા બ્લેક સ્માર્ટ ઘડિયાળ પહેરીને ફરતો જોવા મળે છે. એટલા માટે ખાસ એ જાણવું જરૂરી છે કે આ કાળા રંગનો બેન્ડ કે ઘડિયાળ શું સાચે ફળદાયી છે કે નહીં?

હાથમાં કાળો રંગ પહેરવાના ફાયદા અને નુકસાન
જણાવી દઈએ કે હાથમાં કાળો દોરો કે ઘડિયાળ પહેરવાથી વ્યક્તીને લાભની સાથે સાથે નુકસાન પણ થાય છે. એવામાં ઘણા લોકો અભિમંત્રિત કરીને કાળો દોરો પહેરે છે અને તેની જીવન પર મોટી અસર પડે છે.

ઘણી વખત આવો કાળો દોરો નકારાત્મક શક્તિઓ અને મુશ્કેલીઓથી બચાવે છે અને જો કુંડળીના ગ્રહો અને નક્ષત્રોનો સાથ મળે તો આવો કાળો દોરો ઘણો કમાલ બતાવી શકે છે. શનિદેવની કૃપાથી વ્યક્તિને ખૂબ જ માન-સન્માન, કીર્તિ, ધન પ્રાપ્ત થાય છે અને સ્વાસ્થ્ય સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓથી રાહત મળે છે.

જો કે બીજી તરફ કાળો દોરો પહેરવાથી કેટલાક લોકોને ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 12 રાશિમાંથી 2 રાશિવાળા લોકોએ કાળો દોરો પહેરવાનું ટાળવું જોઈએ. આ સાથે જ આજકાલ લોકો કાળા રંગની સ્માર્ટ ઘડિયાળ અથવા સ્માર્ટ બેન્ડ પહેરે છે તો આ બે રાશિના લોકોએ તે પણ ન પહેરવી જોઈએ. આ લોકોએ તેમની રાશિ પ્રમાણે સ્માર્ટ વોચ અથવા બેન્ડનો રંગ પસંદ કરવો જોઈએ.

આ રાશિના જાતકોએ ન પહેરવો જોઈએ કાળો દોરો, સ્માર્ટ ઘડિયાળ કે બેન્ડ
મેષ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિનો સ્વામી મંગળ હોય છે અને મંગળને શનિ સાથે દુશ્મનીની ભાવના છે. એટલા માટે કાળો રંગ શનિ સાથે સંબંધિત હોવાથી મેષ રાશિના લોકો માટે કાળા રંગનો ઉપયોગ નુકસાનકારક છે. આ રાશિના લોકોએ હાથમાં કાળા રંગની ઘડિયાળ, બેન્ડ કે દોરો પહેરવાનું ટાળવું જોઈએ.

વૃશ્ચિક
મેષ રાશિની જેમ વૃશ્ચિક રાશિનો સ્વામી પણ મંગળ છે. આ કારણથી આ રાશિના લોકો માટે શનિની ખરાબ નજરથી દૂર રહેવું જરૂરી છે. આ લોકોએ ભૂલથી પણ હાથ કે પગમાં કાળો દોરો ન પહેરવો જોઈએ.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow