ઘરનાં પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવાથી તીર્થ સ્નાનનું પુણ્ય મળશે, આ દિવસે પિતૃ પૂજા કરવાનું પણ વિધાન છે

ઘરનાં પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવાથી તીર્થ સ્નાનનું પુણ્ય મળશે, આ દિવસે પિતૃ પૂજા કરવાનું પણ વિધાન છે

બુધવાર, 23 નવેમ્બરના રોજ કારતક મહિનાની અમાસ છે. આ તિથિએ પિતૃઓ માટે ખાસ પૂજા કરવાની પરંપરા છે. અમાસને પુરાણોમાં પર્વ કહેવામાં આવે છે. એટલે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિધાન છે. કોઈ કારણોસર જો એવું શક્ય બને નહીં તો ઘરના પાણીમાં જ ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવાથી તીર્થ સ્નાન કરવા સમાન પુણ્ય મળે છે. સ્નાન કર્યા પછી ઘરમાં દીવો પ્રગટાવવો અને સવારે જલ્દી પીપળાની પૂજા કરવી.

પિતૃઓ માટે આ રીતે પૂજા કરો‌‌ચાંદી કે તાંબાના લોટામાં પાણી, દૂધ, જવ, તલ, ચોખા અને સફેદ ફૂલ મિક્સ કરો. આ પાણીને હથેળીમાં લઈને અંગૂઠા તરફથી પિતૃઓ માટે કોઈ વાસણમાં તર્પણ કરો. આ વિધિ દરમિયાન પિતૃ દેવતાભ્યો નમઃ મંત્રનો જાપ કરો. આ જાપ પાંચ કે અગિયાર વખત કરો. તે પછી આ જળ પીપળામાં ચઢાવી દો.

ભોજન અને કપડાંનું દાન‌‌કારતક મહિનામાં અનાજનું દાન કરવાનું ખાસ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. આવું કરવાથી અખૂટ પુણ્ય મળે છે. એટલે કારતક મહિનામાં જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું જોઈએ. સાથે જ, શ્રદ્ધા પ્રમાણે કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ. અનાજ સાથે કપડાનું દાન પણ કરવું જોઈએ. સિઝન પ્રમાણે ગરમ કપડાનું દાન પણ કરો.

બુધવાર અને અમાસનો યોગ‌‌બુધવાર અને અમાસના યોગમાં ગણેશજીની પૂજા ખાસ કરવી જોઈએ. ગણેશજીને દૂર્વા ચઢાવો અને શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108વાર કરો. ગણેશજીને ઘરમાં બનેલાં લાડવાનો ભોગ ધરાવવો

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow