હિન્દુ મહિલા સાથે પાકિસ્તાનમાં બર્બરતા: રેપ બાદ ચામડી કાઢી ટુકડા કર્યા, ભારતના વિદેશ મંત્રાલયે લગાવી ફટકાર

હિન્દુ મહિલા સાથે પાકિસ્તાનમાં બર્બરતા: રેપ બાદ ચામડી કાઢી ટુકડા કર્યા, ભારતના વિદેશ મંત્રાલયે લગાવી ફટકાર

પાકિસ્તાનમાં હિન્દુ મહિલા સાથે દુષ્કર્મ આચર્યા બાદ મહિલાનું માથું કાપી ક્રૂર હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં ચામડી કાઢી મૃતદેહના અનેક ટુકડાઓ કરી ખેતરમાં ફેંકી દેવામાં આવ્યાનું સામે આવ્યું છે. પાકિસ્તાનમાં હિન્દુ મહિલાની થયેલ હત્યાને લઈને ભારતે કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, અમે વારંવાર કહીએ છીએ કે પાકિસ્તાને લઘુમતીઓનું ધ્યાન રાખવું જોઈએ. તેમની સુરક્ષા પાકિસ્તાનની જવાબદારી છે. વધુમાં અમે એટલું જ કહીશું કે પાકિસ્તાને લઘુમતીઓનું રક્ષણ કરવું જોઈએ. તેમ કહ્યું હતું.

40 વર્ષની વિધવા મહિલાની નિર્દયતાથી હત્યા

આ ઘટના પાકિસ્તાનના સિંધ પ્રાંતની છે. મહિલાની હત્યા બાદ હિન્દુ સાંસદ કૃષ્ણા કુમારી ઘટનાસ્થળે પહોંચી લોકો સાથે વાતચીત કરી અને મદદની ખાતરી આપી હતી. કૃષ્ણા કુમારીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, 40 વર્ષની વિધવા મહિલાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. અને ખૂબ જ ખરાબ હાલતમાં લાશ મળી આવી હતી. તેનું માથું ધડથી અલગ કરવામાં આવ્યું હતું.  

લઘુમતી મહિલાઓ પર બળજબરીથી ધર્મ પરિવર્તન

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં લઘુમતીઓની હાલત ખરાબ છે. લઘુમતી મહિલાઓ પર બળજબરીથી ધર્મ પરિવર્તન અને અત્યાચારની ઘટનાઓ વારંવાર સામે આવે છે.  

ઇન્ટરનેશનલ ફોરમ ફોર રાઇટ્સ એન્ડ સોસાયટી અનુસાર પાકિસ્તાનમાં બળજબરીથી ધર્મ પરિવર્તન અને લગ્નના કેસમાં વધારો થયો છે. જેના કારણે હિન્દુ અને ખ્રિસ્તી પરિવારોમાંથી તેમની દીકરીઓને ઉઠાવી જવાનો ડર સતાવતો રહે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow