અમદાવાદના આ વિસ્તારમાં વેંચાતી હતી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, પોલીસે દોડી જઇ 2 ની કરી અટકાયત

અમદાવાદના આ વિસ્તારમાં વેંચાતી હતી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, પોલીસે દોડી જઇ 2 ની કરી અટકાયત

ગુજરાતમાં ઉત્તરાયણ પર્વને લઈને પ્રતિબંધ હોવા છતાં છાને ખૂણે પ્રતિબંધિત ચાઇનીઝ દોરાનું વેચાણ થઇ રહ્યું છે જેને લઈને એક તાજેતરમાં જ  સુરત, વડોદરા, અમદાવામાં અકસ્માતના અનેક બનાવો બન્યા છે. જેને લઈને અમદાવાદમાં તંત્ર સફાળું જાગ્યું છે અને ઉત્તરાયણમાં અગાઉ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ પર તવાઇ બોલાવી છે.

ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છતાં વેપારીઓ મંગાવી રહ્યા છે જથ્થો

સાણંદ પોલીસે તેલાવ ગામે બાતમીને પગલે રેડ પાડી હતી. જ્યા પ્રતિબંધિત દોરીનું વેચાણ થતું હોવાનું સામે આવતા તેલાવના કાસિન્દ્રાવાસમાંથી ચાઇનીઝ દોરીના જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરી હતી. ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં વેપારીઓ જથ્થો મગાવી રહ્યાં છે અને વેચાણ પણ કરી રહ્યા છે. જેને લઈને અકસ્માત સર્જાતા તંત્ર સફાળું જાગ્યું છે. જોકે તંત્ર અત્યાર સુધી સુસુપ્ત અવસ્થામાં હોવાથી અનેક અકસ્માતો થયા છે. જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

દોરીઓ ઘાતક બની હોવાની અનેક ઘટના

ઉતરાયણ પૂર્વે પતંગની દોરીઓ ઘાતક બની રહી છે. જેમાં ગઈકાલે વડોદરામાં ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીએ યુવકનો ભોગ લીધો હતો. ચાઇનીઝ દોરીથી ગળું કપાતા 30 વર્ષના આશાસ્પદ યુવકનું મૃત્યુ થયું હતું. નવાપુરા વિસ્તારમાં રબારીવાસ પાસે કરૂણ ઘટના બની હતી.આઉપરાંત અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી એક કિશોર ઈજાગ્રસ્ત થયો હતો. જમાલપુર રિવરફ્રન્ટ રોડથી પસાર થતી વખતે આ દૂર્ઘટના સર્જાઈ હતી. વધુમાં આજે સુરતના કામરેજમાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કામરેજ ચાર રસ્તા પરથી પસાર થઈ રહેલા બળવંત પટેલ નામના શ્રમજીવી યુવાનને દોરી નજરમાં ન આવતા દોરી ગળામાં ખૂંપી ગઈ હતી. જેને પગલે ગળુ કપાવાથી બળવંત પટેલનું ઢળી પડ્યા હતા અને સારવાર મળે તે પહેલા જ તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow