બાંગ્લાદેશ-ભારત ટેસ્ટ બીજો દિવસ

બાંગ્લાદેશ-ભારત ટેસ્ટ બીજો દિવસ

ભારતની સામે બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશની પહેલી ઇનિંગ 227 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ત્યારે ટીમ ઈન્ડિયાનો સ્કોર સ્ટમ્પ્સ વખતે 8 ઓવરમાં વિના વિકેટે 19 રને છે. કેપ્ટન કેએલ રાહુલ 3 રને અને શુભમન ગિલ 14 રને નોટઆઉટ રહ્યા છે. હાલ બાંગ્લાદેશની ટીમ 208 રનથી આગળ છે. હવે બીજા દિવસની મેચ સવારે 9 વાગ્યાથી શરૂ થઈ છે.

ભારત-બાંગ્લાદેશ બીજી ટેસ્ટના બીજા દિવસે પણ મેચ ચાલુ છે. મીરપુરમાં ભારતે પ્રથમ દાવમાં વિના વિકેટે 21 રન બનાવ્યા હતા. ભારતીય કેપ્ટન કેએલ રાહુલ અને શુભમન ગિલ ક્રિઝ પર છે.

બાંગ્લાદેશનો પ્રથમ દાવ પહેલા દિવસે 227 રન પર સમાપ્ત થયો હતો. ભારત હજુ પણ પ્રથમ દાવમાં 208 રન પાછળ છે.

પહેલા દિવસે શું થયું હતું

પહેલા દિવસે મીરપુરમાં ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની તરફથી મોમિનુલ હકે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા. તેના સિવાય અન્ય કોઈ બાંગ્લાદેશનો બેટર મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. મુશ્ફિકર રહીમે 26 રન, લિટન દાસ 25 રન બનાવ્યા હતા. ઓપનર નજમુલ હસન શાન્તોએ 24 રન કર્યા હતા.

ટીમ ઈન્ડિયા તરફથી અનુભવી ફાસ્ટ બોલર ઉમેશ યાદવ અને રવિચંદ્રન અશ્વિને 4-4 વિકેટ ઝડપી હતી. તો 12 વર્ષ ટીમમાં પરત ફરેલા જયદેવ ઉનડકટે 2 વિકેટ લીધી હતી. જયદેવે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 16 ડિસેમ્બર, 2010માં રમી હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow