કેન્સરથી બચવું છે? તો આજથી જ ટાળો અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનું વધુ પડતું સેવન નહીં તો..., જાણો કારણ

કેન્સરથી બચવું છે? તો આજથી જ ટાળો અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનું વધુ પડતું સેવન નહીં તો..., જાણો કારણ

આજની પેઢી ચટપટ્ટું ખાવાની ઈચ્છા થાય ત્યારે તરત જ ઓનલાઈન ફુડ અથવા પ્રોસેસ્ડ ફુડ તરફ વળે છે ત્યારે લોકોને આ પ્રકારનાં ભોજનથી થતી અસર વિષે જાણવું અગત્યનું છે. આ પ્રકારનું ભોજન સતત લેવાથી શરીરને લાંબાગાળે ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

કેન્સરનો ખતરો ટાળવા અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડથી રહો દૂર
આજકાલ લોકોને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ વધુ પસંદ આવે છે. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડમાં ફાઇબરની માત્રા ઓછી અને શુગરની માત્રા વધુ હોય છે. આવી વસ્તુઓ ખાવાથી પેટ તો ભરાઇ જાય છે, પરંતુ વજન પણ ઝડપથી વધવા લાગે છે. એક્સપર્ટની વાત માનીએ તો અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડના સેવનથી હેલ્થને સૌથી વધુ ખતરો રહે છે. હવે એક નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે જો લાંબા સમય સુધી અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનું સેવન કરવામાં આવે તો કેન્સરનો ખતરો વધી જાય છે. સૌથી પહેલાં એ જાણો શું હોય છે, અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ.  

કોને કહેવાય છે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ
અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડમાં કેટલાંય તત્ત્વો સામેલ હોય છે. આ ફૂડ ઘણી બધી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડને કોસ્મેટિક ફૂડના નામે પણ ઓળખવામાં આવે છે. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડમાં તમામ પ્રકારનાં તત્ત્વો સમાપ્ત થઇ જાય છે. આ ફૂડ ફેક્ટરીમાં બને છે. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડમાં માત્ર કેલરી વધુ હોય છે, તેમાં વધુ પ્રમાણમાં શુગર અને ફાઇબર સહિત પ્રોટીનની માત્રા ઓછી હોય છે.

શું અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડથી કેન્સર થવાનો ખતરો?
લંડનની ઇ‌િમ્પરિયલ કોલેજના એક રિસર્ચમાં સામે આવ્યું છે કે જો લાંબા સમય સુધી આ ફૂડનું સેવન કરવામાં આવે તો તેનાથી શરીરમાં ખરેખર કેન્સરનો ખતરો વધે છે. આ ફૂડ માત્ર કેન્સરનો ખતરો વધારતાં નથી, પરંતુ હેલ્થ માટે પણ ખૂબ હાનિકારક છે. જો બાળકો અને વયસ્ક લોકો આ ફૂડનું સેવન કરે છે તો ભવિષ્યમાં ખૂબ ખરાબ અસર જોવા મળે છે.

આ રોગોનો બની શકો છો ભોગ...
એક રિસર્ચમાં સામે આવ્યું છે કે આ ફૂડનો સંબંધ મેદસ્વિતા, ટાઇપ-2 ડાયા‌બિટીસ અને કાર્ડિયોવેસ્ક્યુલર હાર્ટ ડિસીઝ સાથે પણ છે, તેમાં હાર્ટએટેક અને સ્ટ્રોકનો ખતરો પણ સામેલ છે. આ ફૂડના સેવનથી સૌથી વધુ ઓવેરિયન કેન્સર અને બ્રેઇન કેન્સરનો ખતરો પણ રહે છે. જો ૧૦ ટકા આ ફૂડનું સેવન કરવામાં આવે તો તેનો ખતરો બે ટકા વધી જાય છે.

હંમેશાં હેલ્ધી ફૂડ અપનાવો
લોકોએ પોતાના ડાયટ પર વધુ ધ્યાન આપવું જોઇએ. હંમેશાં તમારો ડાયટ હેલ્ધી હોવો જોઇએ. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડથી દરેક વ્યક્તિએ દૂર જ રહેવું જોઇએ.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow