ઓસ્ટ્રેલિયાને આજે પાકિસ્તાન સામે જીતવું જરૂરી

ઓસ્ટ્રેલિયાને આજે પાકિસ્તાન સામે જીતવું જરૂરી

ટીમ ઈન્ડિયાએ પુણેમાં બાંગ્લાદેશ સામે વર્લ્ડ કપમાં સતત ચોથી જીત મેળવી હતી. ભારતે આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. વિરાટ કોહલીની 103 રનની સદીની ઇનિંગે ભારતીય ટીમને શાનદાર જીત અપાવી હતી.

બાંગ્લાદેશને હરાવ્યા બાદ પણ ટીમ ઈન્ડિયાની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. તે હજુ પણ બીજા નંબર પર છે. ભારતના 8 પોઈન્ટ છે. ટીમને હજુ 5 મેચ રમવાની બાકી છે. જો ભારત 3 મેચ જીતે છે તો તેના 14 પોઈન્ટ થઈ જશે. આટલા પોઈન્ટ સાથે તે સરળતાથી સેમિફાઈનલમાં પહોંચી જશે.

ભારતે હજુ ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ સામે મેચ રમવાની છે. આ 5 મેચમાંથી ભારતની શ્રીલંકા અને નેધરલેન્ડ સામે જીતની વધુ તકો છે. વર્લ્ડ કપના લીગ તબક્કામાં ભારતની છેલ્લી મેચ નેધરલેન્ડ સામે છે. આ ભારતનો પ્લસ પોઈન્ટ છે

આજે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે મેચ છે. પાકિસ્તાન 4 પોઈન્ટ સાથે ચોથા અને ઓસ્ટ્રેલિયા 2 પોઈન્ટ સાથે 7મા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાએ 3 મેચમાંથી માત્ર એક જ જીત મેળવી છે અને પાકિસ્તાને 3માંથી 2 મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયા પાસે હજુ 6 મેચ બાકી છે, જો તે તમામ મેચ જીતી લે તો તેના 14 પોઈન્ટ થઈ જશે અને સેમિફાઈનલ રમવાની આશા જળવાઈ રહેશે. એના માટે હવે દરેક મેચ નોકઆઉટ જેવી છે તેમજ પાકિસ્તાનને પણ 6 મેચ રમવાની છે, પરંતુ તે ઓસ્ટ્રેલિયાથી 2 પોઈન્ટ આગળ છે. પાકિસ્તાને સેમિફાઇનલમાં પહોંચવા માટે 6માંથી 5 કે 4 મેચ જીતવી પડશે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow