અમદાવાદીઓ સાવધાન! હવેથી મેટ્રોમાં ગંદકી કરનારાઓની ખેર નહીં, રૂ. 5 હજારના દંડથી માંડીને થશે જેલની સજા

અમદાવાદીઓ સાવધાન! હવેથી મેટ્રોમાં ગંદકી કરનારાઓની ખેર નહીં, રૂ. 5 હજારના દંડથી માંડીને થશે જેલની સજા

દિવાળી પહેલા ગુજરાતને સરકાર તરફથી બે મોટી ભેટ આપવામાં આવી છે. જેમાં એક છે મેટ્રો ટ્રેન અને એક છે વંદે ભારત એક્સપ્રેસ. ત્યારે હવેથી અમદાવાદીઓએ મેટ્રો ટ્રેનના પ્લેટફોર્મ પર જતી વેળાએ કે ટ્રેનમાં બેસતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. એટલે કે હવેથી અમદાવાદમાં મેટ્રોને નુકસાન કરનારા સામે કાર્યવાહી કરાશે.

કોચ-પરિસરમાં પોસ્ટર ચોંટાડશે તેને 6 માસની જેલ

શહેરમાં મેટ્રો કોચને નુકસાન કરનારા સામે કડક કાર્યવાહી કરાશે. જેમાં જે પાનની પિચકારી મારશે તેને રૂપિયા 5 હજાર સુધીનો દંડ અને જેલની સજા કરાશે. જે કોચ-પરિસરમાં પોસ્ટર ચોંટાડશે તેને 6 માસની જેલ થશે. કારણ વિના જો કોઇ બેલ કે એલાર્મ વગાડશે તો તેવાને પણ 1 વર્ષની જેલની સજા થશે.

અભદ્ર વર્તન કરનારને થશે રૂ. 200નો દંડ

તદુપરાંત મેટ્રોની ટિકિટ ફોર્જ કરવા પર પણ 6 મહિનાની જેલ થશે. દારૂના નશામાં કે અભદ્ર વર્તન કરનાર અથવા તો અન્ય એવી કોઇ બાબતે રૂ. 200નો દંડ થશે તેમજ પાસ પણ જપ્ત થઇ જશે. આ સિવાય ખતરનાક કે પ્રતિબંધિત ચીજસ્તુઓ પણ ટ્રેનમાં લાવનારને 4 વર્ષ સુધીની જેલની સજા થશે.

કોચમાં કંઇ પણ લખવા પર કે દોરવા પર પણ 500 રૂપિયાનો દંડ

મેટ્રો કોચમાં લખવા પર અથવા કંઈ પણ દોરવા પર પણ 500 રૂપિયાનો દંડ ફટકારાશે. જોકે સાથે મુસાફરી દરમ્યાન જો પેસેન્જરની તબિયત બગડે તો તેને હોસ્પિટલ પહોંચાડવાની જવાબદારી મેટ્રોની રહેશે. કારણ કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા 6 હોસ્પિટલો સાથે MOU કરવામાં આવ્યા છે. આગામી સમયમાં નવી 10 જેટલી હોસ્પિટલો સાથે પણ MOU કરાશે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow