ડિમાન્ડ વધતા લીંબુનો કિલોનો ભાવ રૂ.90એ પહોંચ્યો

ડિમાન્ડ વધતા લીંબુનો કિલોનો ભાવ રૂ.90એ પહોંચ્યો

આ વખતે ફેબ્રુઆરીમાં જ તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું છે. જેને કારણે રસના ચિચોડા અત્યારથી જ શરૂ થઈ ગયા છે. જ્યારે લીંબુ શરબત, ઠંડાપીણા વગેરેમાં આવક વધી છે. જેથી લીંબુના ભાવમાં મોટી ઊથલપાથલ જોવા મળી છે. ફેબ્રુઆરીમાં જ યાર્ડમાં લીંબુના ભાવ રૂ.80થી 90 સુધી વસૂલાઇ રહ્યો છે. જ્યારે છૂટક માર્કેટમાં તેનો ભાવ રૂ.100ને પાર થયો છે.

આમ આકરો ઉનાળો શરૂ થતાં લીંબુનો ભાવ દાંત ખાટા કરી નાખે તેવો થયો છે. વેપારીઓના જણાવ્યાનુસાર સામાન્ય રીતે માર્ચમાં આ ભાવ થતો હોય છે. ગત વર્ષે માર્ચમાં લીંબુનો ભાવ રૂ.150થી ઉપર પહોંચ્યો હતો. ગરમી વધવાને કારણે અન્ય શાકભાજીની આવક અને તેના ભાવ પર અસર પડશે. હાલમાં 60 ટકા શિયાળુ શાકભાજીની આવક ચાલુ છે.

અત્યારે લીંબુ રાજકોટ ઉપરાંત અમરેલી, હળવદ સહિતના પંથકમાંથી આવે છે. એક અંદાજ મુજબ અત્યારે રાજકોટ યાર્ડમાં 35000 કિલોથી 40 હજાર કિલો આવક થઈ રહી છે. આ તમામ આવક સૌરાષ્ટ્રભરમાં ખપી જાય છે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે.

કેરીની 11 બોક્સની આવક, એક કિલો રૂ.500ના ભાવે વેચાઈ
સામાન્ય રીતે ફેબ્રુઆરીના અંતમાં અથવા તો માર્ચની શરૂઆતમાં કેરીની આવક થતી હોય છે. તેના બદલે આ વખતે 15 દિવસ વહેલી આવક શરૂ થઈ ગઈ છે. સોમવારે 11 પેટીની આવક થઈ હતી. એક કિલો કેરી રૂ.500ના ભાવે વેચાઈ હતી. ફ્રૂટના વેપારીઓના જણાવ્યાનુસાર હવે જેમ જેમ ઉનાળો આવતો જશે તેમ તેમ ફ્રૂટની આવક ઘટતી જશે. અત્યારે ગરમી વધવાને કારણે સૌથી વધુ ડિમાન્ડ મોસંબી, નારંગી, તરબૂચ અને ટેટીની છે. માર્ચ માસથી કેરીની આવક શરૂ થશે એટલે તેની ડિમાન્ડ વધશે.

તા. 13થી 20 ફેબ્રુઆરી સુધી લીંબુના ભાવ અને તેની આવક

તારીખલીંબુની આવકનીચો ભાવઊંચો ભાવ
1340,6003065
1439,4003060
1541,5003560
1640,9003060
1742,5003560
2041,8004090

(નોંધ: આવક અને ભાવ કિલોમાં છે)

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow