શું તમારા પણ નથી થઇ રહ્યા લગ્ન? તો અત્યારે જ જાણી લો આ પાછળ ક્યા કારણો છે જવાબદાર

શું તમારા પણ નથી થઇ રહ્યા લગ્ન? તો અત્યારે જ જાણી લો આ પાછળ ક્યા કારણો છે જવાબદાર

સમય પર લગ્ન ન થવાના ઘણા કારણો હોઈ શકે છે. તપાસ બાદ પણ તમને મનપસંદ પાર્ટનર નથી મળી શકતો, તો તમારે અમુક વસ્તુઓ પર વિશેષ ધ્યાન આપવું પડશે, કેમકે ઘણી વાર તમારું લગ્નનું મન હોય છે, પરંતુ સારા સંબંધો મળી શકતા નથી. આવો જાણીએ આખરે ક્યા ક્યા એ કારણો છે, જેથી તમારા લગ્નમાં તકલીફો પેદા થાય છે.

1. બ્રેકઅપ પછી લગ્નનો નિર્ણય

ઘણી વાર યુવાનો બ્રેકઅપનાં તરત જ બાદ લગ્નનો નિર્ણય લે છે, જે ખોટું છે. ઘણા લોકો માને છે કે લગ્ન બાદ તેમની એકલતા દૂર થઇ જશે. આવી સ્થિતિમાં તમારે સૌથી પહેલા ખુદને પૂછવું જોઈએ કે શું તમે લગ્ન માટે તૈયાર છો. ત્યાર બાદ જ મોટો નિર્ણય લો.

2. જ્યોતિષીય કારણોને લીધે પણ નથી થઈ શકતા લગ્ન

ઘણી વાર જ્યોતિષીય કારણોને લીધે પણ તમારા લગ્ન નથી થઇ શકતા, આવામાં તમારે ઘરના પંડિત સાથે લગ્ન સંબંધિત સમસ્યા પર વાતચીત કરવી જોઈએ, જેથી તમારા લગ્ન સમય પર થઇ શકે.

3. સુંદર પાર્ટનર મેળવવાની ઈચ્છા

ભલે જમાનો ગમે તેટલો બદલાઈ ગયો હોય,પરંતુ મોટાભાગનાં લોકોનાં મનમાં લગ્ન માટે સુંદર પાર્ટનરની જ ડિમાંડ હોય છે, જેથી તમને સુંદર પાર્ટનર મળવામાં સમય લાગી શકે છે. આવામાં તમારે પોતાની માનસિકતા બદલવાની જરૂર છે.

4. વારંવાર રીજેકશનનો ડર

આ સાથે જ લગ્ન જેવી બાબતોમાં વારંવાર રીજેકશન પણ મળે છે. જ્યારે વ્યક્તિને વારંવાર રીજેકશન મળે છે, તો એ લગ્ન જેવા બંધનમાં બંધાવા ઈચ્છતો હોતો નથી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow