પેટમાં દુખાવાથી રહો છો પરેશાન? તો આજથી જ ટ્રાય કરો આ ઘરગથ્થુ ઉપાય, તરત જ મળી જશે આરામ

પેટમાં દુખાવાથી રહો છો પરેશાન? તો આજથી જ ટ્રાય કરો આ ઘરગથ્થુ ઉપાય, તરત જ મળી જશે આરામ

પેટમાં દુખાવો એ એક સામાન્ય સમસ્યા છે. દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક પેટના દુખાવાનો સામનો કરવો પડે છે. જો કે પેટમાં દુખાવાની સમસ્યા ગમે ત્યારે થઈ શકે છે, પરંતુ ખાવાનું ખાધા પછી તરત જ ઘણા લોકો પેટમાં દુખાવાની સમસ્યાનો સામનો કરે છે.

જે લોકો જંક ફૂડ વધારે ખાય છે અથવા મસાલેદાર ખોરાક ખાય છે અથવા જમતી વખતે પાણી પીવે છે, તો આવી પરિસ્થિતિઓમાં ભોજન લીધા પછી પેટમાં દુખાવો શરૂ થાય છે.

લોકોને પેટમાં દુ:ખાવો થાય ત્યારે દવા લેવી પડે છે પરંતુ વારંવાર આ દવાઓ લેવાથી તમને નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે તમે આ પેટના દુખાવાની સમસ્યાને કેટલાક ઘરેલું ઉપચારથી દૂર કરી શકો છો.‌

ગરમ શેક લો
જો તમને ખોરાક ખાધા પછી પેટમાં દુખાવો થાય છે તો તમે ગરમ શેર કરી શકો છો. આ માટે તમે હીટિંગ પેડ લઈ શકો છો. થોડીવાર પેટ પર રાખો અથવા ગરમ પાણીની બોટલ પેટ પર લગાવો. આ શેક સ્નાયુઓને આરામ આપે છે અને પેટનો દુખાવો પણ મટાડે છે.

વોક કરવાથી પેટનો દુખાવો થાય છે ઓછો?
જો તમે જમ્યા પછી બેસો કે સૂઈ જાઓ તો આવી સ્થિતિમાં પેટમાં ગેસ બની શકે છે. કબજિયાત અને એસિડિટીની સમસ્યા પણ થઈ શકે છે. એટલા માટે ભોજન કર્યા બાદ થોડુ ચાલો. તેનાથી તમારું પાચન સારું થશે અને તમને પેટના દુખાવામાં રાહત મળશે.

અજમાનો ઉપયોગ કરો
તમે ખોરાક ખાધા પછી અજમાનું સેવન કરી શકો છો અને તમારે આ કામ દરરોજ કરવું જોઈએ. તમે અજમાને ચાવી પણ શકો છો. જો ગેસ અને એસિડિટીની સમસ્યા ચાલુ રહે છે, તો તમે અજમાનું પાણી પણ પી શકો છો અથવા અજમાનો ઉકાળો બનાવી શકો છો. તેનો પાવડર પણ વાપરી શકાય છે. અજમાથી પાચન શક્તિ વધે છે અને તેના કારણે પાચનક્રિયા પણ સુધરે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow