કોરોનાને ડામી દેવા શાળા સંચાલક મંડળનો મહત્વનો નિર્ણય, આ જિલ્લાની શાળાઓમાં માસ્ક ફરજિયાત

કોરોનાને ડામી દેવા શાળા સંચાલક મંડળનો મહત્વનો નિર્ણય, આ જિલ્લાની શાળાઓમાં માસ્ક ફરજિયાત

એકબાજુ ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે. જ્યારે બીજી બાજુ ગુજરાતમાં પણ કોરોનાનાં કેસોમાં ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે ત્યારે કોરોનાને વકરતો અટકાવવા તંત્ર દ્વારા એડવાઇઝરી આપવામાં આવી રહી છે

ઉપરાંત મોટા ભાગના શહેરોની હોસ્પિટલમાં બેડ સહિતની વ્યવસ્થા ઉભી કરાઇ રહી છે. તેવામાં કોરોના સામે આગમચેતીના ભાગરૂપે રાજકોટની સ્વનિર્ભર શાળાઓમાં હવે માસ્ક ફરજિયાત કરવા નિર્ણય કરાયો છે.

રાજકોટ શાળા સંચાલક મંડળ દ્વારા મહત્વનો નિર્ણય

રાજકોટથી કોરોનાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં રાજકોટ શાળા સંચાલક મંડળ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે રાજકોટમાં સ્વનિર્ભર શાળાઓમાં હવે માસ્ક ફરજિયાત કરાશે.

એટલું જ નહીં જે પણ બાળકોને તાવ કે શરદી જેવા કોરોનાના સંબંધિત લક્ષણો હોય તો શાળાએ ન મૂકવા વાલીઓને અપીલ કરી છે

ફરી માસ્કનો નિયમ લાગુ!

હવે વિદ્યાર્થીઓ શાળામાં ફરજિયાત માસ્ક પહેરીને જ આવવા સૂચન કરવામાં આવશે. મહત્વનું છે કે છેલ્લા એક વર્ષથી કોરોનાના કેસ ઘટતા નિયંત્રણો હટાવી દેવામાં આવુએ હતા.

પરંતુ હવે ફરી કોરોનાની નવી લહેરના ભણકારા વાગી રહ્યાં હોવાથી આગમચેના ભાગરૂપે નિયમો ફરી લાગુ થઈ રહ્યાં છે અને તેનું કડક અમલીકરણ કરાવવા પણ આદેશ કરાયા છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow