ગુજરાતમાં દર 100 બાળકોએ સરેરાશ 15 જેટલાં પ્રીમેચ્યોર બેબી જન્મે છે

ગુજરાતમાં દર 100 બાળકોએ સરેરાશ 15 જેટલાં પ્રીમેચ્યોર બેબી જન્મે છે

બાળકોને સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓ સર્જાય તો તેના માટે વધુ કાળજી અને સારવારની આવશ્યકતા ઊભી થાય છે. આવાં પ્રીમેચ્યોર બેબીના જન્મનું પ્રમાણ ૧૦થી ૧પ ટકા રહેતું હોવાનું જાણીતાં પીડિયાટ્રિશિયન અને નિયોનેટોલોજિસ્ટ ડો. અનીતા શ્રીનિવાસને જણાવ્યું હતું.

સ્વસ્થ બેબી કોને કહી શકાય?
સામાન્ય બેબી માતાના ગર્ભમાં નવ મહિના પૂરા કરીને ૩૭થી ૪૦ અઠવાડિયાંના ગાળામાં જન્મે છે. જો બાળક ૩૭ અઠવાડિયાં કરતાં વહેલું જન્મે તો તેને પ્રીટર્મ અથવા તો પ્રીમેચ્યોર બાળક કહેવામાં આવે છે. ઘણાં બાળકો વહેલાં જન્મી જાય છે, પરંતુ મેચ્યોર બેબી મોટા ભાગે સ્વસ્થ જોવા મળે છે, જે સામાન્ય રૂટિન કેર સાથે સર્વાઇવ થાય છે.

પ્રીમેચ્યોર બેબીને ઓક્સિજનની  વધુ જરૂર રહે છે
પ્રીમેચ્યોર બાળકની શ્વાસ લેવાની ક્ષમતા ઓછી હોય છે. તેમનાં ફેફસાંને પૂરતો ઓક્સિજન મળવામાં તકલીફ રહેવાનું પ્રમાણ વધુ રહે છે. બાળક સમય કરતાં ઘણું વધારે વહેલું પેદા થયું હોય તો વધારે સમય વેન્ટિલેટર પર રહેવાના કારણે તેનાં ફેફસાં થોડાં હાર્ડ બને છે, માટે   વેન્ટિલેટર પરથી નોર્મલ કન્ડિશનમાં લેવાયા બાદ તેને ઓક્સિજનની વધુ જરૂર પડે છે, સાથે જ તેને છાતીમાં પણ ઈન્ફેક્શન ન લાગે તેની કાળજી લેવી પડી શકે છે. મોટા ભાગે પ્રીમેચ્યોર બાળકો જ્યાં સુધી જાતે ઓક્સિજન ન લઈ શકે ત્યાં સુધી તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાતાં નથી.

PDA નામની હૃદયને લગતી સમસ્યા
સમય કરતાં વહેલા જન્મેલા બેબીને પેટેન્ટ ડક્ટ્સ આર્ટેરિયોસીસ (PDA) નામની હૃદયને લગતી સમસ્યા થાય છે. ગર્ભાશયમાં બાળકોની એક એવી રક્તવાહિની હોય છે, જે ઓક્સિજનથી ભરપૂર લોહી ફેફસાંની આસપાસ પહોંચાડે છે. બાળક જન્મે ત્યાર પછી આ નળી તરત જ બંધ થઈ જાય છે, કારણ કે જન્મ બાદ ફેફસાં પોતાનું કામ કરવા માંડે છે અને લોહીમાં ઓક્સિજન પહોંચાડે છે. PDAમાં રક્તવાહિકા ખુલ્લી રહી જાય તો તે હૃદય અને ફેફસાં વચ્ચે લોહીના પરિભ્રમણને અસર પહોંચાડે છે. જો વધારે ખુલ્લી રહી જાય તો બાળક જલદી થાકી જાય છે, દૂધ પીવાની તેમજ તેને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow