અમૃતપાલની પત્ની કિરણદીપ બ્રિટનથી ખાલિસ્તાન માટે ફન્ડિંગ કરી રહી હતી

અમૃતપાલની પત્ની કિરણદીપ બ્રિટનથી ખાલિસ્તાન માટે ફન્ડિંગ કરી રહી હતી

ભારત સરકારે ખાલિસ્તાન આંદોલનને તો કચડી નાંખ્યું, પરંતુ દુનિયામાં તે અનેક સ્થળે તે આજે પણ સક્રિય છે. ખાસ કરીને બ્રિટનમાં. બ્રિટનમાં શીખોની સાત લાખની વસતીમાં એક નાનકડો હિસ્સો ખાલિસ્તાન સમર્થકોનો પણ છે. બ્રિટિશ સરકારના કમિશન ફોર કાઉન્ટરિંગ એક્સ્ટ્રીમિઝમના અહેવાલ પ્રમાણે, બ્રિટનમાં ખાલિસ્તાની જૂથો જુદા જુદા સ્રોતોમાંથી પૈસા ઉઘરાવે છે અને ભારત મોકલે છે. બ્રિટિશ સરકારે બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (બીકેઆઈ) સહિત કેટલાક જૂથોને આતંકી સંગઠન પણ જાહેર કર્યા છે. અમૃતપાલની પત્ની કિરણદીપ કૌર પણ બીકેઆઈની સભ્ય છે. તે ખાલિસ્તાન સમર્થક રેલીઓ અને કાર્યક્રમોમાં સક્રિય છે.

એક વરિષ્ઠ બ્રિટિશ ઈન્ટેલિજન્સ ઓફિસરે ભાસ્કરને કહે છે કે, કિરણદીપ બબ્બર ખાલસા માટે ભંડોળ ભેગું કરતી હોવાના પુરાવા છે. 2020માં આતંકી કાવતરું ઘડવા બદલ તેની પાંચ અન્ય લોકો સાથે ધરપકડ કરાઈ હતી. તે બ્રિટનમાં ખાલિસ્તાન સમર્થક પરમજીત સિંહ પમ્મા સાથે પણ સંકલાયેલી છે.

એવું કહેવાય છે કે, તે બબ્બર ખાલસાનો વરિષ્ઠ નેતા છે. ભારત સરકાર દ્વારા જારી ઈન્ટરપોલ વૉરન્ટના આધારે 2015માં તેની પોર્ટુગલથી ધરપકડ કરાઈ હતી. ત્યાર પછી તેને જમાનત મળી ગઈ, પરંતુ કેસ ચાલી રહ્યો છે. પોર્ટુગલમાં ધરપકડ થઈ ત્યારે પણ પમ્મા અને કિરણદીપ સંપર્કમાં હતો. યુકે સરકારનો આરોપ છે કે, પમ્મા બબ્બર ખાલસા માટે ભંડોળ ભેગું કરે છે અને અલ કાયદા સહિતના આતંકી સંગઠનો સાથે તેમના સંબધ છે. જોકે, કિરણદીપ કોઈ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ કરતી હોવાનો ઈનકાર કરે છે. બીજી તરફ, ખાલિસ્તાની આંદોલન અને તેની સાથે સંકળાયેલા લોકોએ ભારતીય સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow