અમૃતપાલની પત્ની કિરણદીપ બ્રિટનથી ખાલિસ્તાન માટે ફન્ડિંગ કરી રહી હતી

અમૃતપાલની પત્ની કિરણદીપ બ્રિટનથી ખાલિસ્તાન માટે ફન્ડિંગ કરી રહી હતી

ભારત સરકારે ખાલિસ્તાન આંદોલનને તો કચડી નાંખ્યું, પરંતુ દુનિયામાં તે અનેક સ્થળે તે આજે પણ સક્રિય છે. ખાસ કરીને બ્રિટનમાં. બ્રિટનમાં શીખોની સાત લાખની વસતીમાં એક નાનકડો હિસ્સો ખાલિસ્તાન સમર્થકોનો પણ છે. બ્રિટિશ સરકારના કમિશન ફોર કાઉન્ટરિંગ એક્સ્ટ્રીમિઝમના અહેવાલ પ્રમાણે, બ્રિટનમાં ખાલિસ્તાની જૂથો જુદા જુદા સ્રોતોમાંથી પૈસા ઉઘરાવે છે અને ભારત મોકલે છે. બ્રિટિશ સરકારે બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (બીકેઆઈ) સહિત કેટલાક જૂથોને આતંકી સંગઠન પણ જાહેર કર્યા છે. અમૃતપાલની પત્ની કિરણદીપ કૌર પણ બીકેઆઈની સભ્ય છે. તે ખાલિસ્તાન સમર્થક રેલીઓ અને કાર્યક્રમોમાં સક્રિય છે.

એક વરિષ્ઠ બ્રિટિશ ઈન્ટેલિજન્સ ઓફિસરે ભાસ્કરને કહે છે કે, કિરણદીપ બબ્બર ખાલસા માટે ભંડોળ ભેગું કરતી હોવાના પુરાવા છે. 2020માં આતંકી કાવતરું ઘડવા બદલ તેની પાંચ અન્ય લોકો સાથે ધરપકડ કરાઈ હતી. તે બ્રિટનમાં ખાલિસ્તાન સમર્થક પરમજીત સિંહ પમ્મા સાથે પણ સંકલાયેલી છે.

એવું કહેવાય છે કે, તે બબ્બર ખાલસાનો વરિષ્ઠ નેતા છે. ભારત સરકાર દ્વારા જારી ઈન્ટરપોલ વૉરન્ટના આધારે 2015માં તેની પોર્ટુગલથી ધરપકડ કરાઈ હતી. ત્યાર પછી તેને જમાનત મળી ગઈ, પરંતુ કેસ ચાલી રહ્યો છે. પોર્ટુગલમાં ધરપકડ થઈ ત્યારે પણ પમ્મા અને કિરણદીપ સંપર્કમાં હતો. યુકે સરકારનો આરોપ છે કે, પમ્મા બબ્બર ખાલસા માટે ભંડોળ ભેગું કરે છે અને અલ કાયદા સહિતના આતંકી સંગઠનો સાથે તેમના સંબધ છે. જોકે, કિરણદીપ કોઈ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ કરતી હોવાનો ઈનકાર કરે છે. બીજી તરફ, ખાલિસ્તાની આંદોલન અને તેની સાથે સંકળાયેલા લોકોએ ભારતીય સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow