અંબાણી પરિવારે સગાઈ બાદ આપી જોરદાર પાર્ટી: શાહરુખ-સલમાન સહિત બોલિવૂડ સેલેબ્સે આપી હાજરી

અંબાણી પરિવારે સગાઈ બાદ આપી જોરદાર પાર્ટી: શાહરુખ-સલમાન સહિત બોલિવૂડ સેલેબ્સે આપી હાજરી

મુંબઇ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન અને એમડી મુકેશ અંબાણી અને નીતા અંબાણીનાં સૌથી નાનાં પુત્ર અનંત અંબાણીની સગાઇ રાધિકા મર્ચન્ટ સાથે થઇ ગઇ છે. આ જોડીનો સગાઇ સમારોહ રાજસ્થાનનાં રાજસ્મંદ જિલ્લાનાં નાથદ્વાર શહેરમાં શ્રીનાથજી મંદિરમાં થયો. આ મંદિર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવાર માટે મહત્વનું છે. આ મંદિર અંબાણી પરિવારનાં દેવતા શ્રીનાથજીને સમર્પિત છે.

મુંબઇમાં યોજાઇ પાર્ટી
રાજસ્થાનમાં સગાઇ થયાં બાદ ગુરૂવારે મુંબઇમાં અંબાણી પરિવારનાં નિવાસ એન્ટાલિયામાં સગાઇની પાર્ટી રાખવામાં આવી હતી જેમાં શાહરૂખ ખાન અને સલમાન ખાનથી લઇને આલિયા ભટ્ટ-રણવીર સિંહ સુધીનાં સ્ટાર્સ પહોંચ્યાં હતાં. આ પાર્ટીમાં રણબીર કપૂર પોતાની પત્ની આલિયા ભટ્ટની સાથે પહોંચ્યાં હતાં. જેમાં રણબીર કપૂર બ્લેક કૂર્તામાં તો આલિયા ગ્રીન કલરની ડ્રેસમાં નજરે પડી હતી.

બોલીવૂડનાં ખાન પણ પહોંચ્યા પાર્ટીમાં
તો સલમાન ખાન પણ બ્લૂ શર્ટમાં સ્ટાઇલીશ એન્ટ્રી લઇને આવ્યાં હતાં. ફિલ્મોની બહાર સલમાન ખાન મોટાભાગે બ્લૂ અને બ્લેક રંગોનાં કપડાઓમાં જ નજરે આવતાં હોય છે. સલમાન સિવાય શાહરૂખ ખાન પણ આ પાર્ટીમાં પહોંચ્યા હતાં.

મીકા સિંહ પણ મૂડમાં
પાર્ટીનાં વાયરલ થઇ રહેલા વીડિયો પરથી જોઇ શકાય છે કે આ પાર્ટીમાં મીકા સિંહે પણ ધૂમ મચાવી હતી. માઇક લઇને પાર્ટીમાં તમામનું દિલ પોતાનાં સંગીતથી જીતનારા મીકાસિંહ ખુશ દેખાઇ રહ્યાં છે.

કોણ છે અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચેન્ટ
ન્યૂયોર્ક યૂનિવર્સિટીથી ગ્રેડ્યુએશન કરેલ રાધિકા, એનકોર હેલ્થકેરનાં બોર્ડમાં નિર્દેશકનાં રૂપે કામ કરે છે. રાધિકા મૂળરૂપે ગુજરાતનાં કચ્છથી છે પરંતુ છેલ્લા ઘણાં સમયથી મુંબઇમાં રહે છે. તેમણે મુંબઇનાં કેથેડ્રલ અને જોન કૉનન સ્કૂલ અને જુહૂ સ્થિત મોંડિયલ વર્લ્ડ સ્કૂલથી પોતાનું ભણતર કરેલ છે. ત્યારબાદ તેમણે બીડી સોમાની ઇન્ટરનેશનલ સ્કૂલથી ઇન્ટરનેશનલ લેવલની ડિપ્લોમા પદવી હાસિલ કરી છે. રાધિકા એનકોર હેલ્થકેરનાં મુખ્ય કાર્યકારી અધિકારી વીરેન મર્ચન્ટ અને શેલા મર્ચન્ટની પુત્રી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow