એમેઝોનની બીજા રાઉન્ડમાં નવ હજાર લોકોની છટણીની જાહેરાત

એમેઝોનની બીજા રાઉન્ડમાં નવ હજાર લોકોની છટણીની જાહેરાત

દુનિયામાં બેન્કિંગ સંકટ અને મંદીના વધતા જતા ખતરા વચ્ચે વિવિધ કંપનીઓમાં છટણીનો દોર જારી રહ્યો છે. હવે દિગ્ગજ ઇ-કોમર્સ કંપની એમેઝોને બીજા રાઉન્ડમાં 9000 કર્મચારીની છટણી કરવાની તૈયારી કરી લીધી છે. આગામી થોડાંક સપ્તાહમાં હજારો કર્મચારીઓને છૂટા કરાશે. આ માટે કંપનીએ યાદી પણ તૈયાર કરી છે.

અહેવાલ મુજબ એમેઝોને છટણીના પ્રથમ રાઉન્ડ હેઠ‌ળ છેલ્લા કેટલાક મહિનામાં કુલ વર્કફોર્સ પૈકી 18,000 કર્મચારીની છટણી કરી હતી. હવે બીજા રાઉન્ડમાં વધુ 9,000 કર્મચારીની યાદી તૈયાર કરી છે. આ કર્મચારીઓની આગામી થોડા સપ્તાહમાં છટણી કરાશે.

સીઇઓ એન્ડી જેસીએ એક બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે કંપનીએ છટણી માટે જે યોજના બનાવી છે તે મુજબ કર્મચારીઓની છટણી કરાશે. એમેઝોનના સીઇઓએ કહ્યું કે હાલ અને નજીકના ભવિષ્યમાં અર્થવ્યવસ્થાને લઇને કેટલીક અનિશ્ચિતતા છે. તેથી અમે ખર્ચ કાબૂમાં રાખવા આ નિર્ણય લીધો છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow