આરોગ્યના સહારે 15 દિવસમાં 7 કરોડ ઘરે પહોંચવાનું લક્ષ્ય

આરોગ્યના સહારે 15 દિવસમાં 7 કરોડ ઘરે પહોંચવાનું લક્ષ્ય

કેન્દ્ર સરકાર મિશન 2024 પહેલાં ‘આયુષ્માન ભવ અભિયાન’ હેઠળ 7 કરોડ નવા પરિવારો સુધી પહોંચવાની તૈયારીમાં છે. એક પરિવારમાં સરેરાશ 5 સભ્ય હોવાનું માનીને અંદાજે 35 કરોડ નવા લોકોનાં આયુષ્માન કાર્ડ બનાવવાનું લક્ષ્ય છે. 2018માં કેન્દ્ર સરકારે આયુષ્માન યોજનામાં આવરી લેવા માટે 10.74 કરોડ પરિવાર એટલે કે અંદાજે 50 કરોડ લોકો ઓળખી કાઢ્યા હતા. હવે લાભાર્થીઓની સંખ્યામાં 2011 પછી નવી વસ્તીગણતરી ન થઈ હોવાથી ન નોંધાયેલા લોકોને પણ જોડવાના છે. આવા 2 કરોડ પરિવાર એટલે કે અંદાજે 10 કરોડ લોકો છે.

કેન્દ્ર સરકાર અત્યાર સુધીમાં 25 કરોડ આયુષ્માન કાર્ડ તૈયાર કરી ચૂકી છે. સરકાર 2 ઑક્ટોબર સુધી આયુષ્માન લાભાર્થીઓનો કુલ આંકડો વધીને 60 કરોડ કરવા ઇચ્છે છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું હતું કે નવા લાભાર્થીઓમાં કચરો વીણનારા, ભિક્ષુકો, ઘરનોકરો, પરિવહનના કર્મચારીઓ, હૅલ્પર, પેઇન્ટર, મિસ્ત્રી પણ જોડાશે.

આયુષ્માન મેળામાં મધ્યમ વર્ગની પણ નિ:શુલ્ક સારવાર કરાશે
અભિયાન હેઠળ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન આયુષ્માન યોજના સાથે જોડાયેલા તમામ 1.17 લાખ હૅલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર આયુષ્માન મેળા યોજાશે. તેમાં ગરીબની સાથેસાથે મધ્યમ વર્ગની પણ નિ:શુલ્ક સારવાર કરાશે. લાભાર્થી હશે તેને તરત જ કાર્ડ બનાવાશે. તમામ બ્લોક હૉસ્પિટલ અને મેડિકલ કૉલેજોમાં પણ આવા કેમ્પ લાગશે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow