ફેક ન્યૂઝ અથવા ખોટી જાણકારી ફેલાવવા માટે ઉપયોગ કર્યો તો ચૂંટણી માટે AI ખતરો બની શકે છે

ફેક ન્યૂઝ અથવા ખોટી જાણકારી ફેલાવવા માટે ઉપયોગ કર્યો તો ચૂંટણી માટે AI ખતરો બની શકે છે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જોડાયેલાં જોખમો દૂર કરવા માટે તેની ક્ષમતા પર નિષ્ણાતોને ભરોસો નથી અને હવે એક નવો પડકાર સામે છે. એઆઇનું એક નવું ટૂલ આકર્ષક ટેકસ્ટ, વાસ્તવિક જેવી તસવીર, વીડિયો અને ઓડિયો બનાવવાની ક્ષમતા રાખે છે. નિષ્ણાતો અને અહીં સુધીની એઆઇ કંપનીઓની દેખરેખ રાખતા કેટલાક અધિકારીઓનું માનવું છે કે આ ટૂલ લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી જાણકારી ફેલાવવાનો ખતરો પેદા કરી શકે છે.

2024માં અમેરિકા-ભારતમાં ચૂંટણી થશે. ચૂંટણી દરમિયાન મતદારોને રિઝવવા માટે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ કે ખોટી જાણકારીનો પ્રસાર કોઇ નવી વાત નથી. તેના માટે અનેક લોકોની જરૂર પડે છે. પરંતુ, એઆઇના આ ટૂલની મદદથી ઝડપી, સરળતાથી અને સસ્તામાં મોટા પાયે ખોટી જાણકારી બનાવવી હવે વધુ સરળ છે.

આ પ્રકારના ખોટા દાવા અને સમાચારો ફેલાવતા લોકોને રોકવા તો હજુ સરળ છે, પરંતુ AIના આ ટૂલથી આ સમસ્યા પહેલાંથી વધુ પડકારજનક બની શકે છે. હવે એક વ્યક્તિ કોઇ પણ સ્થળેથી મતદારોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી જાણકારી શેર કરવા હજારો જનરેટિવ એઆઇ બૉટને તહેનાત કરી શકે છે. એક વધુ એઆઇ તીવ્ર ગતિએ વિકસિત થઇ રહ્યો છે. તેનાથી જોડાયેલા ખતરા વિશે જાણ હોવા છતાં આ ટેક્નિકને અંકુશમાં લાવવા માટે કોઇ નક્કર પગલાં લેવાતાં નથી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow