15 દિવસમાં નિર્ણય નહીં તો આંદોલન

15 દિવસમાં નિર્ણય નહીં તો આંદોલન

રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાઇલટની 5 દિવસીય જનસંઘર્ષ યાત્રા સોમવારે પૂરી થઈ હતી. પાઇલટે જયપુર નજીકના મહાપુરા ગામમાં સભા સંબોધી હતી. તેમણે રાજ્ય સરકારને 30 મે સુધીનો સમય આપતાં કહ્યું હતું કે તેમની 3 માગણી પૂરી નહીં થાય તો સમગ્ર રાજસ્થાનમાં આંદોલન થશે.

પાઇલટની 3 માગણી
રાજસ્થાના પબ્લિક સર્વિસ કમિશનનો ભંગ કરીને પુન:રચના કરવામાં આવે.
વસુંધરા સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર અંગે ઉચ્ચ સ્તરીય કાર્યવાહી કરવામાં આવે.
પેપર લીકથી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને વળતર આપવામાં આવે.
પાઇલટે એમ પણ કહ્યું હતું કે તેમણે ગાંધીવાદી તરીકે ઉપવાસ અને જનસંઘર્ષ યાત્રા કરી છે પરંતુ આંદોલન સમગ્ર રાજ્યમાં કરાશે.

કર્ણાટકમાં 40 % ભ્રષ્ટાચારનો મુદ્દો હવે રાજસ્થાન પણ પહોંચ્યો છે. સચિન પાઇલટની સભામાં ગેહલોત સરકારના મંત્રી અને ધારાસભ્યો પણ જોડાયા હતા. તેમાંના ગેહલોત સરકારના મંત્રી રાજેન્દ્ર ગુઢાએ ખુલ્લેઆમ આરોપ લગાવ્યો હતો કે કર્ણાટકની સરકારમાં તો 40 % જ ભ્રષ્ટાચાર હતો પરંતુ અમારી સરકાર તો તેનાથી પણ આગળ વધી ગઈ છે. અમારી સરકારે ભ્રષ્ટાચારના તમામ રેકોર્ડ તોડ્યા છે. સરકારનું તંત્ર ડખે ચડ્યું છે. મંત્રી ધારીવાલની ઑફિસમાંથી એક પણ ફાઇલ ભ્રષ્ટાચાર વિના નથી નીકળતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow