પિક પર પહોંચ્યા બાદ સોનાના ભાવ15 દિવસમાં ~2454 ઘટ્યા

પિક પર પહોંચ્યા બાદ સોનાના ભાવ15 દિવસમાં ~2454 ઘટ્યા

સોનામાં ભારે તેજી આવ્યા બાદ સોનાની કિંમતમાં ફરીવાર ઘટાડાનો દોર શરૂ થયો છે. આ મહિનામાં 24 કેરેટ સોનાની કિંમત હજી સુધી 2,454 રૂપિયા ઘટીને 56,343 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગઇ છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના કહેવા મુજબ બીજી ફેબ્રુઆરીએ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 58882 હતા.  

આ ભાવ સોનાની સર્વોચ્ચ ઊંચી સપાટી હતી. આ પહેલાં જાન્યુઆરીમાં સોનાના ભાવમાં તેજી નોંધાઇ હતી. માત્ર 15 દિવસના ગાળામાં જ કિંમતો આશરે 2,800 રૂપિયા વધી ગઇ હતી. ત્યારબાદ ફેબ્રુઆરી શરૂ થતાંની સાથે જ ઘટાડાનો દોર શરૂ થયો હતો, જે હજુ સુધી જારી છે.

બજાર સાથે જોડાયેલા નિષ્ણાતો માની રહ્યા છે કે સોનાની કિંમતમાં ઘટાડો વધારે લાંબા સમય સુધી જારી રહેવાની શક્યતા નથી. આઇઆઇએફએલના વાઇસ પ્રેસિડેન્ટ (રિસર્ચ) અનુજ ગુપ્તાએ કહ્યું હતું કે કિંમત 59,000 રૂપિયાના સ્તર પર પહોંચી ગયા બાદ સ્થાનિક બજારમાં સોનાની માંગણી ઘટી રહી છે.  

જેના કારણે સોનાની કિંમતોમાં પણ ઘટાડાનો દોર શરૂ થયો છે. આ ઉપરાંત વૈશ્વિક અર્થવ્યવસ્થા, ખાસ કરીને અમેરિકાને લઇને જોખમો પણ કેટલાક અંશે ઓછા થયા છે, જેની અસર સોનાની કિંમત પર દેખાઇ રહી છે.

સોનાના ભાવમાં આ કારણોથી કિંમતોમાં ઘટાડો‌‌

1 અમેરિકામાં મજબૂત આર્થિક આંકડાના કારણે જોખમ ઘટ્યાં છે‌‌

2 હાલમાં ઘટાડા બાદ ડોલરમાં ફરી એકવાર તેજી શરૂ થઇ

3 વ્યાજદરમાં વધારો જારી રાખશે તેવો ફેડ દ્વારા સંકેત


4 કિંમતોમાં જોરદાર તેજી બાદ ઘટાડો માટેનો સ્વાભાવિક પ્રવાહ

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow