90 વર્ષ બાદ તિરૂપતિ બાલાજીના 'ખજાનાનો ખુલાસો': અખૂટ સંપત્તિનો આંકડો ચોંકાવનારો, વિપ્રો-નેસ્લે જેવી મોટી કંપનીઓ ફેલ

90 વર્ષ બાદ તિરૂપતિ બાલાજીના 'ખજાનાનો ખુલાસો': અખૂટ સંપત્તિનો આંકડો ચોંકાવનારો, વિપ્રો-નેસ્લે જેવી મોટી કંપનીઓ ફેલ

આંધ્રપ્રદેશના તિરુમાલામાં સ્થિત દેશના સૌથી ધનિક મંદિર તરીકે પ્રખ્યાત તિરુપતિ મંદિરની સંપત્તિ સામે ઘણી મલ્ટીનેશનલ કંપનીઓ પણ પાછળ રહી ગઈ છે. મંદિરની મેનેજિંગ કમિટી તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે તેની સ્થાપના (1933)ના 90 વર્ષ પછી પ્રથમ વખત મંદિરની કુલ સંપત્તિ જાહેર કરી છે. જે મુજબ મંદિર પાસે કુલ 2.5 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. જેમાં બેંકોમાં જમા કરાયેલું 10.25 ટન સોનું, 2.5 ટન સોનાના ઘરેણા, 16,000 કરોડ રૂપિયા અને અનેક ભાગોમાં આવેલી સંપત્તિનો સમાવેશ થાય છે.

ત્રણ વર્ષમાં 2900 કરોડની વૃદ્ધિ‌‌અગાઉ વર્ષ 2019માં મંદિર ટ્રસ્ટ પાસે બેંકોમાં 7.4 ટન સોનું જમા કરવામાં આવ્યું હતું, આ સિવાય 13 હજાર 25 કરોડ રૂપિયા ફિક્સ ડિપોઝિટના રૂપમાં હતા. આ સંદર્ભમાં, છેલ્લા 3 વર્ષમાં, બેંકોમાં જમા કરાયેલા સોનામાં 2.9 ટન અને રોકડમાં 2 હજાર 900 કરોડ રૂપિયાનો વધારો થયો છે.

મલ્ટીનેશનલ કંપનીઓ કરતાં વધુ સંપત્તિ છે‌‌સંપત્તિના મામલામાં તિરુપતિ મંદિર દેશની અનેક મલ્ટીનેશનલ કંપનીઓ કરતાં વધુ છે. સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર મંદિરની નેટવર્થ દેશની ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓ કરતા ઘણી વધારે છે. આ કંપનીઓમાં વિપ્રો, અલ્ટ્રાટેક સિમેન્ટ, નેસ્લે અને ઓએનજીસીનો સમાવેશ થાય છે. જ્યારે વિપ્રોનું બજાર મૂલ્ય રૂ. 2.14 લાખ કરોડ છે, જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટનું મૂલ્ય રૂ. 1.99 લાખ કરોડ છે.‌

ઘણા દેશીની GDP કરતા વધુ સંપતિ‌‌આ સિવાય દુનિયામાં એવા ઘણા દેશો છે જેમની જીડીપી તિરુપતિ ટેમ્પલ ટ્રસ્ટની કુલ સંપત્તિથી ઓછી છે. આ દેશોમાં તાજિકિસ્તાન, મોરેશિયસ, દક્ષિણ સુદાન, નામીબિયા, નિકારાગુઆ, મોંગોલિયા, માલ્ટા, માલી, અફઘાનિસ્તાન, હૈતી, આઇસલેન્ડ, ઝિમ્બાબ્વે, સાયપ્રસ ડોમિનિકા, સેશેલ્સ, એન્ટિગુઆ અને બરબુડા, ભૂટાન, ગ્રીનલેન્ડ, ફિજી, માલદીવ્સ, મોનાકો, બર્મુડા, ગુયાનાનો સમાવેશ થાય છે. સમાવેશ થાય છે.

‌‌દાનના મામલામાં દેશ જ નહીં દુનિયાનું સૌથી અમીર મંદિર, 7 હજાર 123 એકરમાં ફેલાયેલી સંપત્તિ‌‌રોજના કરોડો રૂપિયાના દાનને કારણે આ મંદિર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વનું સૌથી ધનિક મંદિર માનવામાં આવે છે. મંદિરની આસપાસ સ્થિત સ્થળો પર 7 હજાર 123 એકરમાં ફેલાયેલી કુલ 960 મિલકતો છે. આ મંદિરમાં ચાંદી અને સોના ઉપરાંત કિંમતી પથ્થરો, સિક્કા, કંપનીના શેર અને પ્રોપર્ટી પણ દાનમાં આપવામાં આવે છે. મળતી માહિતી મુજબ અહીં દર મહિને 200 થી 250 કરોડ રૂપિયા ડોનેશન તરીકે આવે છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow