રાજકોટનાં રેસકોર્સમાં 3 વર્ષ બાદ ફરી ફનસ્ટ્રીટ શરૂ

રાજકોટનાં રેસકોર્સમાં 3 વર્ષ બાદ ફરી ફનસ્ટ્રીટ શરૂ

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મિશન સ્માર્ટ સીટી ટ્રસ્ટ ચિત્રનગરી દ્વારા ત્રણ વર્ષ બાદ આજથી ફરીવાર ફનસ્ટ્રીટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાજકોટ શહેરના રેસકોર્સ ખાતે બાળકોથી લઈ મોટેરા સુધીના અંદાજે ત્રણેક હજાર લોકોએ લીંબુ ચમચી, કોથળા દોડ સહિતની જૂની વિસરાયેલી 40 જેટલી રમતોની મજા માણી હતી. આ તકે સૌકોઈમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ ચિત્રનગરી દ્વારા ત્રણેક વર્ષ પહેલાં દર રવિવારે ફનસ્ટ્રીટનું આયોજન કરવામાં આવતું હતું. જેમાં હજારો લોકો ભાગ લેતા હતા. જોકે કોરોનાકાળ દરમિયાન ફનસ્ટ્રીટ વર્ષ-2020 બાદ ફનસ્ટ્રીટ બંધ કરાઇ હતી. ત્યારબાદ આજે પ્રથમ વખત ફનસ્ટ્રીટનું આયોજન થતા શહેરીજનોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને નાના બાળકો, યુવાનો તેમજ વૃદ્ધો પણ ફનસ્ટ્રીટમાં જૂની વિસરાઈ ગયેલી રમતો રમવા ઉમટી પડ્યા હતા.

આ ફનસ્ટ્રીટ દરમિયાન બાળકો કોથળા દોડ, લંગડી, જેવી રમતો રમ્યા હતા. તો યુવાનો ડાન્સ કરવાની સાથે ચેસ સહિતની રમતો રમતા જોવા મળ્યા હતા. વૃદ્ધોએ પણ લીંબુ ચમચી સહિતની વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. કેટલાક યુવાનો અને વૃદ્ધો ભમરડો ફેરવતા પણ નજરે પડ્યા હતા. ફનસ્ટ્રીટ દરમિયાન રંગીલું રાજકોટ વિવિધ રમતના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. આગામી સપ્તાહથી દર રવિવારે રેસકોર્સ ખાતે ફનસ્ટ્રીટ યોજાશે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow