Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🇮🇳 India

સોશિયલ મીડિયા પર અદાણી જૂથના ચેરમેનની ભરપૂર પ્રશંસા

Gujaratnow2 min read
સોશિયલ મીડિયા પર અદાણી જૂથના ચેરમેનની ભરપૂર પ્રશંસા

દુનિયાના ત્રીજા અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની સોશિયલ મીડિયા પર ભરપૂર પ્રશંસા થઈ રહી છે. આ પ્રશંસા તેમની કોઈ ડીલ કે પછી નવી સિદ્ધી મેળવવા બદલ નહીં પરંતુ તેમની દરિયાદિલી માટે થઇ રહી છે. ખરેખર આર્થિક તંગીને કારણે જીવન-મૃત્યુ સાથે લડી રહેલી એક માસૂમ બાળકી માટે ગૌતમ અદાણી એક ફરિશ્તાની જેમ સામે આવ્યા અને તેની સંપૂર્ણ સારવારનો ખર્ચ ઊઠાવવાનો વાયદો કરી દીધો.

અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ લખનઉમાં રહેતી જે 4 વર્ષની બાળકીની મદદ માટે મદદનો હાથ લંબાવ્યો હતો તે જન્મની સાથે જ તેના હૃદયમાં કાણાં સાથે જન્મી હતી અને સારવાર ન મળી શકવાને કારણે તે જીવન અને મૃત્યુ સામે લડી રહી છે. લખનઉની સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ડૉક્ટરોએ તેની સારવાર માટેનો ખર્ચ 1.25 લાખ રૂપિયા જણાવ્યો હતો. તેના પરિવાર સામે આર્થિક તંગી હોવાથી આ રકમ એકઠી કરવી મુશ્કેલ હતી. તેના પછી અમુક લોકોએ તેની મદદ માટે સોશિયલ મીડિયા પર મદદ માગી અને લોકોને અપીલ કરી હતી.

જોકે આ મેસેજ ગૌતમ અદાણી સુધી પહોંચી ગયો અને તેમણે આ મામલે બાળકીની મદદ કરવા હાથ આગળ વધારી દીધો. તેમણે મનુશ્રીની સારવારનો સંપૂર્ણ ખર્ચ ચૂકવવાનો વાયદો કર્યો છે. ગૌતમ અદાણીએ ટ્વિટ કરીને લખ્યું કે મનુશ્રી જલદી જ ઠીક થઈ જશે, મેં અદાણી ફાઉન્ડેશનને માસૂમ બાળકીના પરિવારનો સંપર્ક સાધવા અને તેમની દરેક સંભવ મદદ કરવા કહ્યું છે. મનુશ્રી જલદી જ સ્કૂલે પાછી ફરી શકશે અને તેના મિત્રો સાથે રમી શકશે.

Gujaratnow2 min read

Related News