રાજસ્થાનથી ફરાર દુષ્કર્મનો આરોપી અખોદડમાં મંદિરનો પૂજારી બની બેઠો!

રાજસ્થાનથી ફરાર દુષ્કર્મનો આરોપી અખોદડમાં મંદિરનો પૂજારી બની બેઠો!

કેશોદના અખોદડ ગામે મહાકાલીના મંદિરમાં સાધુના વેશમાં છુપી રીતે રહેતો દેવનારાયણ ઉર્ફે સુનીલાલ ઉર્ફે લાલ બાબા કિશોરલાલ નામનો શખ્સ દુષ્કર્મના ગુનાનો આરોપી હતો. તેની ઉપર પોલીસે 25 હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું. ગુરૂવારે આ શખ્સને રાજસ્થાન પોલીસે સ્થાનિક પોલીસની મદદથી ઝડપી લઇ રાજસ્થાન લઈ ગઈ હતી.

રાજસ્થાનમાં દુષ્કર્મના ગુનામાં ફરાર શખ્સ પર પોલીસે 25 હજારનું ઇનામ જાહેર કર્યું હતું. આ શખ્સ જૂનાગઢ જિલ્લાના કેશોદ પંથકમાં હોવાની બાતમીના આધારે રાજસ્થાન પોલીસ કેશોદ પહોંચી હતી. અને સ્થાનિક પોલીસને સાથે રાખી તપાસ હાથ ધરતાં કેશોદ તાલુકાના અખોદડ ગામે મહાકાળી મંદિરમાં રહેતો શખ્સ જ રાજસ્થાન પોલીસનો ફરાર આરોપી દેવનારાયણ ઉર્ફે સુનીલાલ ઉર્ફે લાલ બાબા કિશોરલાલ (રે. મૂળ ડાંગીવાળા, ઉદયપુર, રાજસ્થાન) હોવાનું સ્પષ્ટ થયું હતું.

તેની સામે રાજસ્થાનના બાડમેર મહિલા પોલીસ મથકમાં તે કોઇ ધાર્મીક જગ્યાની આડમાં સાધુ વેશમાં રહી નાડી તપાસવાનું કહી અથવા કોઇની દિકરીને પોતાના વશમાં કરી તેના પર ધાર્મીક વિધીના બહાને દુષ્કર્મ ગુજારી પૈસા ઉઘરાવતો હોવાની ફરીયાદ નોંધાઇ હતી. આ આરોપીએ એક કિશોરી સાથે દુષ્કર્મ આચરતાં તેની સામે ગુનો નોંધાયો હતો. તેની વિરુધ્ધ ફરિયાદ થતાં તે ભાગી છૂટ્યો હતો. 11 મહિનાથી ફરાર આ હવસખોરને ઝડપી લેવા રાજસ્થાન પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતાં. આરોપી શખ્સને શોધવા રાજસ્થાન પોલીસે જુદા જુદા રાજ્યો માટે 7 ટીમ બનાવી હતી.

અંતે ગુજરાતના જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં હોવાની બાતમી મળતાં રાજસ્થાન પોલીસ હરકતમાં આવી ગઇ હતી.રાજસ્થાન પોલીસ તાબડતોબ ગુજરાત પહોંચી હતી.રાજસ્થાન પોલીસે જૂનાગઢ જિલ્લા મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા, પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટ્ટીના સંપર્કમાં રહી તેમની સુચના અનુસાર કેશોદ પોલીસની મદદ લીધી હતી. આખરે તે પોલીસના સકંજામાં આવી જતાં કેશોદ પોલીસે તેને રાજસ્થાન પોલીસને સુપ્રત કરતાં રાજસ્થાન પોલીસ તેને લઇને રવાના થઇ હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow