ડેટા બેંક વિશે પાટીલ બોલ્યા 'હું હોઉં કે ના હોઉં...., શિસ્ત સમિતિમાં જુઓ કોનો, કોનો સમાવેશ

ડેટા બેંક વિશે પાટીલ બોલ્યા 'હું હોઉં કે ના હોઉં...., શિસ્ત સમિતિમાં જુઓ કોનો, કોનો સમાવેશ

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા નેતાઓને ટકોર કરી ડેટા બેંકનો યોગ્ય ઉપયોગ કરવા સૂચના આપવામા આવી છે. હું હોઉં કે ના હોઉં, ડેટા બેંકનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ તેમ સી.આર.પાટીલે કહ્યું હતું. પાટીલે વધુમાં કહ્યું કે ભાજપ પાસે ગુજરાત સૌથી મજબૂત ડેટા બેંક છે. જે અંગે ભાજપની પ્રથમ કારોબારી બેઠકમાં સૂચન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વર્ષ 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ ચર્ચા ઉપરાંત મંડળ સુધીનું સંગઠન મજબૂત કરવા પર ભાર મૂકવા સૂચન કરાયા હતા.


ડેટા બેંકનો યોગ્ય ઉપયોગ કરવા હોદ્દેદારોને અપાઈ સુચના

તેમણે કહ્યું કે PM મોદી પર જનતા દ્વારા મુકવામાં આવેલ ભરોસા અને કાર્યકરોની મહેનત ઉપરાંત 73 લાખ સક્રિય સભ્યોના કારણે ભવ્ય જીત થઈ છે. જ્યારે સક્રિય સભ્યોને કાયમ સાચવવા પણ સૂચના આપાઈ છે.વધુમાં ઓછા અંતરથી હારેલી 17 બેઠકો પર હારનો અફસોસ કરી પાટીલે કહ્યું કે AAPનું ખાતું ખુલ્યું ત્યાં થોડી મહેનત કરવાની જરૂર હતી.

પ્રદેશ ભાજપ દ્વારા શિસ્ત સમિતિની નિમણૂક

સાથે સાથે પ્રદેશ ભાજપ દ્વારા શિસ્ત સમિતિની નિમણૂક પણ કરવામાં આવી છે. અધ્યક્ષ અને 6 સભ્યોનો શિસ્ત સમિતિમાં સમાવેશ કરવામા આવ્યો છે. જેમાં વલ્લભ કાકડીયાને ભાજપની શિસ્ત સમિતિના અધ્યક્ષ બનાવાયા છે. ઉપરાંત બિપીન દવે, મણીલાલ પરમાર, જયશ્રી પટેલ તેમજ રામસિંહ રાઠવા, અજય ચોક્સી, તખતસિંહ હડીયોલની પણ નિમણૂક કરવામાં આવી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow