ક્રોધ.મોહ,લોભનો ત્યાગ, તે જ બાળકનાં ઉજ્જવળ ભવિષ્યનો પાયો ગણાય છે

ક્રોધ.મોહ,લોભનો ત્યાગ, તે જ બાળકનાં ઉજ્જવળ ભવિષ્યનો પાયો ગણાય છે

આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં બાળકોના ઉત્તમ ભવિષ્ય માટે કેટલીક એવી બાબતો જણાવી છે જેનાથી છાત્રોએ હંમેશા દુર રહેવુ જોઈએ. દરેક માતા-પિતા ઇચ્છે છે કે તેમનું બાળક યોગ્ય બને કારણ કે એક પ્રતિભાવાન અને યોગ્ય બાળક ન માત્ર પોતાના ભવિષ્યને ઉજ્જવળ કરે છે, પરંતુ પોતાના માતાપિતાનું માથુ પણ ગર્વથી ઉંચુ કરે છે. પરંતુ બાળકને ગુણવાન અને યોગ્ય બનાવવા માટે બહેતર સંસ્કારોની સાથે સાથે ઊચ્ચ શીક્ષણ પણ જરૂરી છે. આચાર્ય ચાણક્યએ ચાણક્યનીતિમાં બાળકોના બહેતર ભવિષ્ય માટે એવી સાત વસ્તુ જણાવી છે જેનીથી છાત્રોએ હંમેશા દુર રહેવુ જોઈએ. જાણી લો એ બાબતો વીશે.

ક્રોધ : ક્રોધ કોઈ પણ વ્યક્તિનો મોટો શત્રુ છે. કારણ કે તે સૌથી વધારે નુકસાન ક્રોધ કરનાર વ્યક્તિનું જ કરે છે. ક્રોધ દરમીયાન કોઈ પણ વ્યક્તિ સાચો નિર્ણય લઈ શકતુ નથી કારણ કે એ પરીસ્થીતિમાં તે કોઈ પણ વસ્તુને પૂર્ણ રૂપથી જોવા માટે સક્ષમ હોતો નથી. માટે ક્રોધથી હંમેશા દુર રહેવુ જોઈએ.

કામવાસના: જે છાત્ર પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માગે છે તેમણે કામવાસના અને કામક્રીયાથી દુર રહેવુ જોઈએ. તેમાં પડ્યા બાદ મન સતત ભટકતુ રહે છે. આવા વિદ્યાર્થીઓ પુરી લગન અને ઇમાનદારી સાથે શીક્ષા લઈ શકતા નથી

સંતુલિત આહાર : છાત્રોએ હંમેશા સંતુલીત અને હળવો ખોરાક ખાવો જોઈએ. તેમણે ભોજનના સ્વાદનું વધુ મહત્વ ન રાખવુ જોઈએ. છાત્રોએ એક તપસ્વીની જેમ આહાર લેવો જોઈએ. સંતુલીત આહાર લેવાથી તેમનુ સ્વાસ્થ્ય સારૂ હે છે અને શીક્ષણમાં વિઘ્ન આવતુ નથી.

શ્રૃંગાર : અભ્યાસ કરવા વાળા વ્યક્તિએ હંમેશા સાજ શણગાર અને શ્રૃંગારથી દૂર રહેવુ જોઈએ. એક વખત છાત્ર એ ચક્કરમાં પડે પછી તે ફેશન છોડી શકતો નથી. આવી સ્થીતિમાં તેનું મન અભ્યાસમાં લાગતુ નથી. માટે છાત્રએ હંમેશા સાદુ જીવન જીવવુ જોઈએ.

મનોરંજન : મનોરંજન અને ખેલકુદ જરૂરી છે પરંતુ તે માત્ર સીમિત માત્રામાં હોવુ જોઈએ. આવશ્યકતાથી વધુ ખેલકુદ કે મનોરંજન છાત્રનું ધ્યાન ભટકાવી શકે છે.

લોભ : કહેવામાં આવે છે કે લાલચ અને લોભ વ્યક્તિએ ત્યજી દેવા જોઈએ. આ વાત માત્ર છાત્રો માટે જ નહી પરંતુ બધા જ લોકો માટે જરૂરી છે. લાલચ કરવા વાળો વ્યક્તિ પોતે મહેનતથી કંઈ કરી શકતો નથી. તે હંમેશા છેતરપીંડી કરીને બીજા લોકોની વસ્તુ હડપવાની કોશીષ કરે છે. માટે લાલચ ક્યારેય ન કરવી જોઈએ.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow