આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિશેષ મહત્વ હતુજે કોલંબિયામાં શાંતિના દાયકાની સિદ્ધી દર્શાવતું હતું .

દસ વર્ષ પહેલાં, જેને ફક્ત એક ઐતિહાસિક સિદ્ધિ તરીકે વર્ણવી શકાય છે તેવી ક્ષણ જેમ કોલંબિયા સરકાર અને FARC ગેરિલા જૂથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેનાથી દાયકાઓથી ચાલતા સશસ્ત્ર સંઘર્ષનો અંત આવ્યો હતો. ગુરુદેવે શાંતિ પ્રક્રિયામાં મધ્યસ્થી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

એકતાની અનોખી ઉજવણી!

આજે બોગોટામાં યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરતા, ગુરુદેવે ઉપસ્થિતોને યાદ અપાવ્યું, "આપણે યોગને ફક્ત શારીરિક કસરત તરીકે ન માનવું જોઈએ. તે આપણા મનની સ્થિતિ છે." આ સંબોધન દરમ્યાન તેમણે તેમના વૈશ્વિક યોગદાનના એક ઓછા જાણીતા પાસા વિશે પણ કહ્યું હતુ - જે છે કોમન યોગ પ્રોટોકોલ બનાવવા માટેની પ્રથમ સમિતિની ગુરુદેવની અધ્યક્ષતા,તેમની અધ્યક્ષતા હેઠળ બનાવેલ કોમન યોગ પ્રોટોકોલ જે હવે વિશ્વભરમાં અપનાવવામાં આવે છે. આ સંબોધનમાં ગુરુદેવ એ કહ્યુંક "મને ખૂબ આનંદ છે કે વિશ્વની વસ્તીનો ઓછામાં ઓછો એક તૃતીયાંશ ભાગ હવે આ પ્રોટોકોલનું પાલન કરી રહ્યો છે. પરંતુ, માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં આપણું કાર્ય અહીં સમાપ્ત થતું નથી. હકીકતમાં, આ ફક્ત શરૂઆત છે."

આ કાર્યક્રમમાં બોગોટાના સંસ્કૃતિ સચિવાલય ખાતે ઓબ્ઝર્વેટરી ઓફ કલ્ચર એન્ડ કલ્ચરલ નોલેજ મેનેજમેન્ટના ડિરેક્ટર પણ હાજર હતા, જેમણે કહ્યું, "તાજેતરના અઠવાડિયામાં દેશમાં ખૂબ જ તણાવપૂર્ણ ક્ષણો આવી છે, અને આ દિવસ આ ભારને સંતુલિત કરવા અને બોગોટાના તમામ લોકોને સકારાત્મક સંદેશ મોકલવા માટે એકદમ યોગ્ય સમયે આવ્યો છે." ૨૦૧૫ માં, ગુરુદેવે એ જે કર્યું એ ઘણા લોકો માનતા હતા કે અશક્ય છે. લગભગ પચાસ વર્ષ સુધી, FARC બળવાખોરો અને કોલંબિયાની સરકાર વચ્ચે ક્રૂર યુદ્ધ ચાલ્યું. એવા સમયે જ્યારે બંને પક્ષો વચ્ચે અવિશ્વાસ ચરમસીમાએ હતો અને અનેક યુદ્ધવિરામ નિષ્ફળ ગયા હતા ત્યારે ગુરુદેવે FARC કમાન્ડરો સાથે ત્રિદિવસીય વાતચીત કરી, તેમને અહિંસા અને દેશના ભવિષ્ય માટે એક વ્યાપક દ્રષ્ટિકોણ અપનાવવા વિનંતી કરી. તેમના હસ્તક્ષેપથી જટિલતા ઉકેલવામાં મદદ મળી હતી . FARC એ એક વર્ષ માટે એકપક્ષીય યુદ્ધવિરામની જાહેરાત કરી જે એક અભૂતપૂર્વ પગલું હતું જેના થાકી તે વર્ષના અંતમાં અંતિમ કરાર માટે માર્ગ મોકળો થયો.

દસ વર્ષ પછી, ગુરુદેવ કોલંબિયા પાછા ફર્યા, માત્ર આ સિદ્ધિને નોંધવા માટેજ નહીં, પરંતુ વધુ શાંતિપૂર્ણ અને સંયુક્ત દક્ષિણ અમેરિકાના દ્રષ્ટિકોણને નવીકરણ કરવા માટે. બોગોટા, મેડેલિન અને કાર્ટેજેનામાં, તેમણે સંસદના સભ્યો, ઉદ્યોગપતિઓ અને શિક્ષણક્ષેત્રના નિષ્ણાંતો સાથે મુલાકાત કરી, અને ઘણા લોકોને ધ્યાનના ગહન અનુભવથી પરિચય કરાવ્યો. ગુરુદેવે કોલંબિયાની સંસદને પણ સંબોધિત કરી અને તેમને દુઃખથી મુક્ત વિશ્વ, વધુ પ્રેમાળ, સુખી અને શાંતિપૂર્ણ વિશ્વનું સ્વપ્ન જોવા માટે પ્રેરણા આપી. વધુમાં તેમણે જણાવ્યું કે “આ ભલે એક કલ્પના જેવું લાગે છે, પરંતુ મને લાગે છે કે તે એક સ્વપ્નથી શરૂ થાય છે. જો આપણે આ સ્વપ્ન જોવાનું શરૂ કરીએ, તો મને ખાતરી છે કે આપણે તેને સાકાર કરી શકીશું."

૨૦ જૂનના રોજ, ગુરુદેવને તેમના શિસ્ત, સમર્પણ અને વધુ સારા સમાજના નિર્માણમાં અવિશ્વસનીય યોગદાન માટે બોલિવર ગવર્નરેટ મેડલ 'ઓનર ટુ સિવિલ મેરિટ' એનાયત કરવામાં આવ્યો. કાર્ટેજેના ડી ઈન્ડિયાસના મેયર ડ્યુમેક ટર્બે પાઝે પણ વિશ્વમાં શાંતિ અને ખુશીને પ્રોત્સાહન આપવામાં ગુરુદેવના વિશાળ માનવતાવાદી પ્રભાવની નોંધ લીધી હતી.

૨૦૧૬ માં નવી દિલ્હીમાં આર્ટ ઓફ લિવિંગના વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલમાં હાજરી આપનાર ફિલ્મ નિર્માતા અને ફોટોગ્રાફર લેઇકા ગેવિશ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સાન્તોસનું શાંતિ પ્રક્રિયામાં ગુરુદેવની ભૂમિકા વિશેનું વર્ણન સાંભળીને ખૂબ જ પ્રભાવિત થયા લેઈકા ગોવિશ એ કહ્યું કે "મારા જીવનસાથીએ સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં ફિલ્માંકન કરતા કેમેરામેન તરીકે કામ કર્યું હતું - મેં જોયું છે કે તે કેટલું મુશ્કેલ રહ્યું છે. ગુરુદેવે તે પ્રદેશમાં શાંતિ લાવવામાં ભૂમિકા ભજવી હતી તે જાણીને મને ખરેખર પ્રેરણા મળી. દુનિયા પાસે તેમના માટે આભારી રહેવા માટે ઘણું બધું છે."

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow