રાજકોટમાં નશો કરવાના મુદ્દે પત્ની સાથે ઝઘડો થતાં યુવકનો આપઘાત

રાજકોટમાં નશો કરવાના મુદ્દે પત્ની સાથે ઝઘડો થતાં યુવકનો આપઘાત

ગોંડલ રોડ પરના આંબેડકરનગરમાં રહેતા નનકા શિરડીભાઇ સરોજે (ઉ.વ.35) ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશનો વતની નનકા સરોજે કારખાનામાં મજૂરીકામ કરતો હતો અને તેને નશો કરવાની કુટેવ હતી. નશો કરવા બાબતે પત્ની સાથે ઝઘડો થતાં તે બાબતનું માઠું લાગી આવતા તેણે પગલું ભરી લીધું હતું. યુવકના આપઘાતથી તેના ચાર સંતાનોએ પિતાની હૂંફ ગુમાવી હતી.

અન્ય એક બનાવમાં પેડક રોડ પર પાણીના ઘોડા પાસેના ચંપકનગરમાં રહેતા દેવજીભાઇ આંબાભાઇ ટોપિયા (ઉ.વ.72)એ પોતાના ઘરે છતના હૂકમાં દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, દેવજીભાઇને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. બીમારીથી કંટાળી વૃદ્ધે પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow