મુંબઇના સપ્લાયરે રાજકોટમાં 250 યુવકને ડ્રગ્સ વેચી બરબાદ કરી નાખ્યા

મુંબઇના સપ્લાયરે રાજકોટમાં 250 યુવકને ડ્રગ્સ વેચી બરબાદ કરી નાખ્યા

શહેર પોલીસે રવિવારે પોલીસ પુત્ર સહિત બે શખ્સને રૂ.13 લાખના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લઇ પૂછપરછ કરતાં મુંબઇનો સપ્લાયર છેલ્લા છ મહિનાથી રાજકોટમાં મુખ્ય પેડલર્સ સહિત 250 યુવકને ડ્રગ્સના વેચાણ અને સેવનમાં ડુબાડી બરબાદ કરી રહ્યાનો ધડાકો થયો હતો. ડ્રગ્સનું પગેરું મુંબઇ સુધી નીકળતાં પોલીસે તે દિશામાં પણ તપાસ કેન્દ્રિત કરી હતી.

શહેરના કિડવાઇનગર રોડ પર તુલસીબાગ પાસે કારમાં બેઠેલા બે શખ્સને એસઓજીના પીઆઇ જે.ડી.ઝાલા સહિતના સ્ટાફે ઝડપી લઇ તલાશી લેતા બંને પાસેથી રૂ.13 લાખનું 130 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ડ્રગ્સ સાથે ઝડપાયેલા મુંબઇના વતની અને છેલ્લા છ મહિનાથી રાજકોટના સાધના એપાર્ટમેન્ટમાં રહેતા બ્રિજેશ ઉદયલાલ પાલીવાલ અને પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા એઅેસઆઇ રાણા ચિહલાના પુત્ર મોનાર ઉર્ફે ભાણોની ધરપકડ કરી હતી. પોલીસે બંનેને બે દિવસના રિમાન્ડ પર લઇ તપાસ કરતાં ડ્રગ્સના કાળા કારોબારના નેટવર્કનો પર્દાફાશ થયો હતો.

પોલીસ સૂત્રોઅે જણાવ્યું હતું કે, બ્રિજેશ પાલીવાલ મુંબઇના હાર્દિક નામના શખ્સ પાસેથી ડ્રગ્સ લઇ આવતો હતો. ત્યારબાદ બ્રિજેશ પોતાની પાસે રહેલા 10-12 પેડલર્સને 10-10 ગ્રામની પડીકી આપતો હતો. તે પેડલર્સ પોતાની નીચે રહેલા પેડલર્સ અને ડ્રગ્સના બંધાણીઓને ડ્રગ્સ આપતા હતા. બંને આરોપીના મોબાઇલની તપાસ કરાતા બ્રિજેશ જે ડ્રગ્સ લાવતો હતો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow