ધીમી ગતિએ આગળ વધતું ચોમાસુ

ધીમી ગતિએ આગળ વધતું ચોમાસુ

ચોમાસુ ત્રણદિવસથી આંદામાન-નિકોબાર દ્વીપસમૂહની દક્ષિણેથી આગળ વધ્યું નથી. શુક્રવારે બંગાળની ખાડીમાં આંદામાનની છેલ્લી સરહદ ઇન્દિરા પૉઇન્ટ પસાર કરીને નાનકોવરી ટાપુ સુધી પહોંચ્યા પછી સોમવાર સુધી તેમાં કોઈ પ્રગતિ જોવા મળી નથી. સામાન્ય રીતે ચોમાસુ 21 મેએ પોટ્ર બ્લેર પહોંચતું હોય છે પરંતુ હાલમાં ચોમાસાની ઉત્તરીય સરહદ પોર્ટ બ્લેરથી 415 કિમી દૂર છે. હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસુ પવનો ખૂબ નબળા છે પરંતુ આગામી 2 દિવસમાં ધીમી ગતિએ આગળ વધવાની શક્યતા છે.

આ બાજુ ઉત્તર ભારતમાં સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મંગળવારે સ્પર્શી શકે છે. અરબ સાગરમાંથી આવતી ભેજવાળી હવાઓથી આ ડિસ્ટર્બન્સને બળ મળશે અને તેને કારણે 2 દિવસથી કાળઝાળ ગરમીમાંથી સમગ્ર ઉત્તર ભારતને રાહત મળવાની શક્યતા છે. હવામાનમાં આ પરિવર્તન આવતાં આગામી 4 દિવસમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને યુપીમાં ગાજવીજ અને વંટોળ સાથે કરા પડવાની કે વરસાદ પડવાની વકી છે. ખાસ કરીને બુધવાર અને ગુરુવારે સમગ્ર ઉત્તર ભારતમાં દિવસનું સામાન્ય તાપમાન 4થી 5 ડિગ્રી ઘટશે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow