સુરતમાં રહેતા આ પરિવારના મતદાન દરમ્યાન સર્જાય છે રોડ-શો જેવો સીન! કારણ જાણી ચોંકી ઉઠશો

સુરતમાં રહેતા આ પરિવારના મતદાન દરમ્યાન સર્જાય છે રોડ-શો જેવો સીન! કારણ જાણી ચોંકી ઉઠશો

ગુજરાતનાં સૂરતના કામરેજ ખાતે રહેતા એક પરિવારના લોકો એકતાનું ઉદારણ પૂરુ પાડે છે. કામરેજમાં રહેતા સોલંકી પરિવારમાં કુલ 81 લોકો છે. પરંતું બધાનું જમવાનું એક સાથે જ થાય છે એટલું જ નહી મતદાન પણ એક સાથે જ આપવા જાય છે. આ સોલંકી પરિવારમાં કુલ 60 મતદાતા છે. પરિવારના વડીલ શ્યામજીભાઈ 82 વર્ષના છે. ગુજરાતમાં થઈ રહેલા પ્રથમ તબક્કાના મતદાનમાં આ પરિવારનાં લોકો વોટ આપવા ગયા હતા. પરિવારનાં વડીલે કહ્યું કે સમગ્ર પરિવારમાં કુલ 60 મતદાતાઓ છે. આખો પરિવાર હંમેશા એકસાથે જ રહે છે. આ વખતે પરિવારમાં 2 યુવા મતદાતાઓ પહેલી વાર મતદાન કરવા જઈ રહ્યા છે. સોલંકી પરિવાર નવગામ મતદાન મથક પર મતદાન કરવા જાય છે. શ્યામજીભાઈનાં દિકરા નંદલાલે કહ્યું કે 80 વર્ષીય પરિવારનાં વડીલ દર વખતે બધાને સાથે લઈને વોટ આપવા જાય છે.


મતદાન સમયે આખો પરિવાર એક સાથે મતદાન કરે છે
પરિવારની મોટી વહુએ કહ્યું કે પરિવારનું જમવાનું એક સાથે જ હોય છે. આટલો મોટો પરિવાર હોવા છતાં કદી પણ  અલગ રહેવાની કોઈ ચર્ચા થઈ નથી. સૌની મહેનત અને જવાબદારી પરિવારનું કામ પણ સરળતાથી થાય છે અને બધાને સમય મળે છે. દરેક મતદાનમાં આખો પરિવાર પોલિંગ બુથ પર એક સાથે મતદાન કરવા જાય છે.

દેશના હિતમાં લોકશાહિને મજબૂત કરવા મતદાન કરવું જરૂરી
પરિવાર કે અન્ય સદસ્યોએ જણાવ્યું કે એક સાથે વોટિંગ કરવા વાળા લોકોમાં એક સંદેશો આપવા માંગીએ છીએ કે દેશનાં હિતમાં દરેક ઉંમરનાં લોકો મતદાન કરે જેથી દેશ અને લોકશાહીને મજબૂત કરી શકાય. પરિવારનાં વડીલ શ્યામજીભાઈએ કહ્યું કે વોટિંગની તમામ લોકોએ કરવું જોઈએ અને સંયુક્ત રીતે મતદાન કરવું જોઈએ જેથી વધુમાં વધુ લોકો તમારાથી પ્રેરાય.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow