ગળામાં ખેસ અને માથે ટોપી: ઓફિસમાં કળશ પૂજા કરતા આમિર ખાન કેમેરામાં કેદ, Ex પત્ની પણ હાજર

ગળામાં ખેસ અને માથે ટોપી: ઓફિસમાં કળશ પૂજા કરતા આમિર ખાન કેમેરામાં કેદ, Ex પત્ની પણ હાજર

આમિર ખાને કરી પૂજા

સોશિયલ મીડિયામાં આમિરની નવી તસ્વીરો વાયરલ થઇ રહી છે, જેમાં તેઓ પોતાની કંપની, આમિર ખાન પ્રોડક્શન્સની ઑફિસમાં પૂજા કરતા દેખાઈ રહ્યાં છે. લાલ સિંહ ચડ્ઢાના ડાયરેક્ટર અદ્વૈત ચંદને ઈન્સ્ટાગ્રામ પર પૂજાની તસ્વીરો શેર કરી. જેમાં આમિર કળશ પૂજન કરી રહ્યાં છે. પૂજા બાદ તેઓ આરતી પણ કરી રહ્યાં છે અને તેમાં તેમની સાથે તેમની પૂર્વ પત્ની કિરણ રાવ પણ છે.

આમિર ખાન અથવા શક્તિ કપૂર?

આ તસ્વીરોમાં આમિરના વાળ, દાઢી અને મૂંછ બધુ વ્હાઈટ દેખાઈ રહ્યું છે. પૂજા કરતી વખતે આમિરે એક નહેરૂ ટોપી પહેરી છે અને ગળામાં ખેસ પહેર્યો છે. સોશિયલ મીડિયામાં આમિરના આ ઑલ-ગ્રે લુક પર જનતાની કોમેન્ટ્સ ખૂબ રસપ્રદ છે. એક યુઝરે લખ્યું, મેં નામ નહોતુ વાંચ્યુ અને મને લાગ્યુ કે શક્તિ કપૂર છે. તો બીજા એક યુઝરને સાઉથના અભિનેતા જગપતિ બાબૂની યાદ આવી ગઇ છે. જેનો લુક આવો છે. બીજા એક યુઝરે લખ્યું, ભાઈ આ તો સાઉથ એક્ટર જગપતિ બાબૂ જેવા લાગી રહ્યાં છે.

એક્ટિંગથી બ્રેક પર છે આમિર

અદ્વૈત ચંદને પોતાની પોસ્ટમાં એવુ જણાવ્યું નથી કે આમિર ખાન પ્રોડક્શન્સની ઑફિસ પર આ કઈ વસ્તુ માટે પૂજા રાખવામાં આવી. પરંતુ તસ્વીરોમાં બધા ખૂબ ખુશ જોવા મળી રહ્યાં છે. આમિરની વાત કરીએ તો તેમણે થોડા દિવસ પહેલા કહ્યું છે ક તેઓ એક્ટિંગમાંથી બ્રેક લઇ રહ્યાં છે. તેમણે કહ્યું છે કે હવે તેઓ એક-દોઢ વર્ષ બાદ એક્ટિંગમાં આવશે. જો કે, આ દરમ્યાન તેઓ પ્રોડ્યુસર તરીકે પૂરી રીતે સક્રિય રહેશે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow