વીંછિયાના મેડિકલ સ્ટોરમાંથી પ્રતિબંધિત સીરપનો જથ્થો ઝડપાયો

વીંછિયાના મેડિકલ સ્ટોરમાંથી પ્રતિબંધિત સીરપનો જથ્થો ઝડપાયો

પ્રતિબંધિત કોર્ડીન સીરપનું વેચાણ કરવું એ ગુનાને પાત્ર છે. છતાં અમુક શખ્સ આવા પ્રતિબંધિત સીરપનું વીંછિયામાં વેચાણ કરી રહ્યા હોવાથી એસઓજી શાખાના પીઆઈ કે.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.સી.મીયાત્રા અને કે.એમ.ચાવડા એસઓજી શાખાના સ્ટાફ સાથે વીંછિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સંયુક્ત બાતમી મળી હતી કે વરતેશ પરસોત્તમભાઈ સાકરીયા(રહે-જનડા કંધેવાળીયા,તા-વીંછિય ા,જી-રાજકોટ) નામનો શખ્સ વીંછિયા સ્થિત પોતાના કબ્જા ભોગવટા વાળા દુર્ગેશ મેડીકલ સ્ટોરમાં પ્રતિબંધીત કોર્ડીન સિરપ રાખી વેચાણ કરે છે.

જે બાતમીના આધારે ઔષધ નિરીક્ષક ટી.એમ.મહેતા અને તેમની ટીમને સાથે રાખી વીંછિયામાં આવેલા દુર્ગેશ મેડીકલ સ્ટોરમાં રેઈડ કરતા કોર્ડીન સીરપ બોટલ નંગ-190 ની કિંમત રૂ.31,920 મળી આવતા તમામ મુદ્દામાલ કબજે કરી મેડીકલના સંચાલક વરતેશ પરસોત્તમભાઈ સાકરીયાને ઝડપી લઇ વીંછિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરાવી કાર્યવાહી હાથ ધરી હતી તેમજ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર રાજકોટની ટીમ દ્વારા તે મેડીકલને સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow