સૌથી લાંબા બ્રિજના ઉદ્ધાટન પહેલાં જ ઉઘરાણાંનો તખ્તો

સૌથી લાંબા બ્રિજના ઉદ્ધાટન પહેલાં જ ઉઘરાણાંનો તખ્તો

છેલ્લાં 5 વર્ષથી નિર્માણ પામી રહેલો શહેરનો સૌથી લાંબો ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીનો બ્રિજ આગામી 20મી તારીખે તૈયાર થઈ જશે અને ગણતરીના દિવસોમાં જ તેનું લોકાર્પણ કરાશે. બીજી તરફ વડોદરાની પ્રજાએ આપેલા ખોબેખોબા મત માટે ભાજપ શાસિત મહાનગરપાલિકાએ પ્રજાને નવા બનેલા બ્રિજ નીચે નાણાં ખર્ચી પાર્કિંગ કરવાની ‘ભેટ’ આપી છે. હજી ગેંડા સર્કલ-મનીષા સર્કલ સુધીના બ્રિજનું કામ અધૂરું છે ત્યાં તો તેની નીચે પે એન્ડ પાર્કિંગ માટે પાલિકાએ ઇજારો આપવાનું નક્કી કર્યું છે.

શહેરમાં 2017માં ગેંડા સર્કલથી મનીષા ચોકડી તરફના બ્રિજની કામગીરી શરૂ કરાઈ હતી, જે 5 વર્ષ બાદ આખરે તૈયાર થઈ રહ્યો છે. મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું કે, બ્રિજનું કામ પૂર્ણ થવાના આરે છે. 20 ડિસેમ્બર સુધી બ્રિજ તૈયાર થઈ જશે અને ગણતરીના દિવસોમાં લોકાર્પણ કરાશે. સ્થાનિક સમસ્યાઓ અને ધારાસભ્યો સામે નારાજગી છતાં પ્રજાએ ભાજપને ખોબે ખોબા મત આપ્યા છે.

બ્રિજ શરૂ થતાં પાર્કિંગ માટે નાગરિકોને નાણાં ચૂકવવાં પડશે
લોકોએ 5 ઉમેદવારોને જંગી લીડથી જીતાડ્યા છે, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ ભાજપ શાસિત પાલિકાએ શહેરીજનોને ‘ભેટ’ આપી છે. જેમાં બ્રિજ નીચે પાર્કિંગ માટે ઇજારો આપવાનું નક્કી કર્યું છે. બ્રિજનું લોકાર્પણ 25મી ડિસેમ્બરે થાય તેવી શક્યતા છે. પાલિકાએ બ્રિજ નીચે વાહન મૂકનારા નાગરિકો પાસેથી પાર્કિંગનાં નાણાં ઉઘરાવવા ઇજારો આપવાની છે. પાલિકાની જાહેરાતમાં 1 વર્ષ માટે પે એન્ડ પાર્કિંગનો ઇજારો આપવાની હરાજીનું આયોજન કર્યું છે. જેમાં 6.51 લાખની અપસેટ વેલ્યુ અને 13.03 લાખ ડિપોઝિટ રખાઈ છે. બ્રિજ શરૂ થતાં પાર્કિંગ માટે નાગરિકોને નાણાં ચૂકવવાં પડશે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow