રાજકોટમાં ઇમિટેશનનું કામ કરતો શખ્સ દારૂની 50 બોટલ સાથે ઝડપાયો

રાજકોટમાં ઇમિટેશનનું કામ કરતો શખ્સ દારૂની 50 બોટલ સાથે ઝડપાયો

શહેરના જુદા જુદા છ સ્થળે દારૂ-જુગારના દરોડા પાડી 4 મહિલા સહિત 19 શખ્સને પકડી પાડ્યા છે. જૂના મોરબી રોડ પર આવેલી શ્રીપાર્ક સોસાયટીમાં એક શખ્સ વિદેશી દારૂ સાથે ઊભો હોવાની માહિતીના આધારે પોલીસ તુરંત ત્યાં દોડી ગઇ હતી. દરોડા દરમિયાન નંબર વગરના વાહન સાથે ઊભેલા શખ્સને પકડી પાડ્યો હતો. પૂછપરછ કરતા તે આ જ વિસ્તારમાં રહેતો અને ઇમિટેશનનું કામ કરતો સુનીલ ગણપત જાદવ હોવાનું જણાવ્યું હતું. જ્યારે સ્કૂટરના આગળના ભાગે રહેલા થેલાની તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ 50 બોટલ મળી આવી હતી. સ્કૂટર, દારૂ કબજે કરી સુનીલ જાદવની પૂછપરછ હાથ ધરી છે. સોમનાથ સોસાયટી-3માં રહેતા મહમદભાઇ સલામતખાન પઠાણ નામના વૃદ્ધને તેના ઘરેથી વિદેશી દારૂની 7 બોટલ સાથે પકડી પાડ્યા હતા.

જુગારનો પ્રથમ દરોડો નાનામવા રોડ, દેવનગર-3માં અજય હરેશ પરમારના મકાનમાં પાડ્યો હતો. અહીંથી અજય સહિત ધવલ ભવાન પરમાર, વિનોદ છગન મકવાણા, રવિ ભવાન પરમાર, પ્રકાશ ટપુ પરમાર, શૈલેષ કિશોર રાઠોડને રૂ.15,750ની રોકડ સાથે, રેલનગર, શ્રી રેસિડેન્સીમાં જિતેન્દ્ર જીતુ મુકેશ કડવાતરના ફ્લેટમાંથી જિતેન્દ્ર ઉર્ફે જીતુ ઉપરાંત અરૂણ રસિક નિમાવત, મનિષા રવિ કડવાતર, હિરા ભરત વ્યાસ, અરૂણા દીપક રાઠોડ, જશુ રાજેન્દ્ર કુબાવતને રૂ.10,140ની રોકડ સાથે પકડી પાડી કાર્યવાહી કરી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow