ગુજરાતમાં બીજેપીને પ્રચંડ બહુમતના સપોર્ટથી શેરમાર્કેટમાં ઘટાડો અટક્યો!

ગુજરાતમાં બીજેપીને પ્રચંડ બહુમતના સપોર્ટથી શેરમાર્કેટમાં ઘટાડો અટક્યો!

ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં ગુજરાતમાં બીજેપીને પ્રચંડ બહુમત મળતા શેરમાર્કેટમાં સપોર્ટ મળ્યો છે. આ ઉપરાંત વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ હોવા છતાં ક્રૂડઓઇલ ઝડપી ઘટી 77 ડોલર થતા અને સ્થાનિક રોકાણકારોની આક્રમક ખરીદીના સપોર્ટથી સેન્સેક્સમાં ચાર દિવસીય ઘટાડો અટક્યો છે. સેન્સેક્સ 160 પોઇન્ટ વધીને 62570.68 બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 48.85 પોઈન્ટ વધીને 18609.35 બંધ રહ્યો છે.

ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયામાં નજીવી રિકવરી થઇ 82.44 બંધ રહ્યો હતો જ્યારે રોકાણકારોની મૂડી વધી 289.71 લાખ કરોડ પહોંચી છે. માર્કેટ નિષ્ણાતો બજારનો ટ્રેન્ડ મજબૂત દર્શાવી રહ્યાં છે. સપ્તાહમાં રજૂ થનારા અમેરિકામાં બેરોજગારી ડેટા અને ફુગાવો કેવો રહે છે તેના પર બજારની નજર રહેલી છે. ફુગાવાના આધારે ફેડ વ્યાજદરમાં ફેરફાર કરશે.

વિક્રમી ઉંચી સપાટીને સ્પર્શ્યા પછી સ્થાનિક બજારમાં નોંધપાત્ર અસ્થિરતાનો અનુભવ થયો છે. કારણ કે આર્થિક મંદીના ડર અને ફેડ રેટમાં વધારાની ચિંતાને કારણે વૈશ્વિક બજારો ગબડ્યા હતા. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામ રૂપિયામાં મજબૂત રિકવરી જોવા મળે અને ક્રૂડઓઇલ ઘટી 73 ડોલર સુધી પહોંચે તો બજારને ઝડપી વેગ મળે તેમ છે.

સેન્સેક્સ પેકમાં એક્સિસ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, એલએન્ડટી, આઇસીઆઇસીઆઇ બેન્ક, ઇન્ફોસિસ, એસબીઆઇ, બજાજ ફિનસર્વ વધીને બંધ રહ્યાં હતા. જ્યારે યુએસએફડીએ દ્વારા સનફાર્માના હાલોલ સુવિધાને આયાત ચેતવણી હેઠળ સૂચિબદ્ધ કર્યા પછી શેર્સમાં સૌથી વધુ 3.57 ટકાનો ઘટાડો થયો હતો આ ઉપરાંત પાવરગ્રીડ, TCS, નેસ્લે, વિપ્રો, કોટક બેંક પણ ઘટ્યાં હતા.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow