માધાપર વિસ્તારમાં કરોડોની ગ્રાન્ટ આવી પણ વરસાદ થંભી ગયા બાદ હજુ કીચડથી ખદબદતા રોડથી નથી મળી મુક્તિ

માધાપર વિસ્તારમાં કરોડોની ગ્રાન્ટ આવી પણ વરસાદ થંભી ગયા બાદ હજુ કીચડથી ખદબદતા રોડથી નથી મળી મુક્તિ

શહેરની ભાગોળે આવેલ માધાપર વિસ્તાર આજે રાજકોટ શહેરમાં ભળ્યાને ત્રણ-ત્રણ વર્ષ જેટલો સમય થયો છતાં આ વિસ્તારની ઘણી સોસાયટીઓમાં રહેતા પરિવારો પાયાની સુવિધાથી વંચિત છે. આ વિસ્તાર માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી છે અને વપરાઈ છે આમ છતાં વરસાદ થંભી ગયા બાદ પણ કાદવકીચડમાં ચાલવા રહેવાસીઓ મજબૂર છે. માધાપરની બેકબોન રેસિડેન્સી અને આસપાસના વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ નહીં હોવાથી માત્ર બે-ત્રણ ઇંચ વરસાદમાં જ આ વિસ્તારમાં સતત અઠવાડિયા સુધી પાણીનો ભરાવો રહે છે.

વરસાદ રહી ગયાના 15 દિવસ પસાર થઇ ગયા છતાં આજુબાજુના ખાલી રહેલા પ્લોટમાં ભરાયેલું પાણી આ વિસ્તારમાં સતત વહેતું રહે છે. જે બાબતની રજૂઆત કરવા જતાં વરસાદી પાણી ઉપર પથ્થરો અને માટીની લેયર નાખી બુલડોઝર ફેરવી દેવાય છે. પરિણામે જ્યારે ફરીવાર વરસાદ પડે છે.

ત્યારે આ માટી એટલી બધી ચીકણી બની જાય છે કે આ વિસ્તારમાં રહેતા વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને શાળાએ આવતી જતી વખતે અહીં અકસ્માતોના બનાવો પણ વારંવાર બને છે. લોકોએ અનેક વખત ધારાસભ્ય જીતુ સોમાણી, કોર્પોરેટર નરેન્દ્રસિંહ સોલંકી, મેયર પ્રદીપ ડવ સહિતના પદાધિકારીઅો તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓને લેખિત ફરિયાદ કરી હોવા છતાં માત્ર સ્થળ મુલાકાત કરીને સંતોષ માની લેતા અમુક નેતાઓ હાજરી પૂરાવી જતા રહે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow