ગોંડલ પાસે કારખાનાનાં બોઇલરમાં આગ ભભૂકી

ગોંડલ પાસે કારખાનાનાં બોઇલરમાં આગ ભભૂકી

ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ગેલેક્સી પંપ પાછળ ફર્નિચર બનાવવાના કારખામાં આજે અચાનક જ આગ લાગી હતી, ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાના બે ફાયર ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આ ઘટનાથી બોઇલરને નુકસાન થયું હતું.

અને માલ સામાન બળીને ખાખ થઇ ગયો હતો. અલબત આગ લાગવાનું કારણ અંકબંધ રહ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ ઉપરોક્ત સ્થળે આવેલા પલ ફર્નિચર નામના કારખાનાનાં બોઇલરમાં આગ લાગી હતી. આગની જાણ ફાયર ફાઈટર ને કરાતા બે ફાયર ફાઈટરએ ઘટના સ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.

ફર્નિચરના કારખાનામાં બોઇલરનો ડસ્ટ (ધૂળ) ખેંચવામાં ઉપયોગ કરવામાં આવતો હતો જેમાં આગ લાગતા બોઇલર સાથે માલસામાન બળીને ખાખ થતા જંગી નુકશાન થવા પામ્યું હતું તંત્રએ આગ ક્યાં કારણોસર આગ લાગી તે જાણવા વધુ તપાસ હાથ ધરી હતી.

ફાયર ફાઈટરોએ એક કલાક સુધી સતત પાણીનો મારો ચાલુ રાખ્યો હતો. પળવારમાં જ આગ એટલી વિકરાળ બની ગઇ હતી કે મહામહેનત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. ગોંડલ ફાયરના જયરાજસિંહ ચુડાસમા, નિખિલ પટેલ, હાર્દિક રબારી, અશ્વિન, કિશોરદાન ગઢવી, અજયસિંહ વાળા અને વિરુભાઈ જાડેજા સહિતના દોડી ગયા હતા અને આગ ઠારી હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow