સુરતના ગોડાદરામાં શોર્ટસર્કિટથી સિટી બસમાં આગ ભભૂકી

સુરતના ગોડાદરામાં શોર્ટસર્કિટથી સિટી બસમાં આગ ભભૂકી

સુરતના ગોડાદરા વિસ્તારમાંથી પસાર થતી સિટી બસમાં શોર્ટસર્કિટ થતાં આગ લાગી હતી. આગ લાગતાં જ મુસાફરોને બસમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. આગની આ ઘટનામાં બસ સંપૂર્ણપણે બળીને ખાક થઇ જવા પામી હતી, જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

સુરતના ગોડાદરા વિસ્તારમાંથી પસાર થતી બ્લૂ કલરની સિટી બસ [GJ05BX 3225]માં આગ લાગી હતી. એને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. બસ ગોડાદરાથી ચોકબજાર જઈ રહી હતી. એ વેળાએ શોર્ટસર્કિટ થતાં બસમાં આગ લાગી હતી. બસમાં આગ લાગતાં જ મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા હતા. જોકે પળભરમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

આગની આ ઘટનામાં બસ સંપૂર્ણપણે બળીને ખાક થઇ ગઈ હતી. તો બીજી તરફ આ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવી લીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં બસ બળીને ખાક થઇ ગઈ હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow