‘તું મારી સાથે સંબંધ કેમ નથી રાખતી’ તેમ કહેતા બે પરિવાર વચ્ચે મારામારી

‘તું મારી સાથે સંબંધ કેમ નથી રાખતી’ તેમ કહેતા બે પરિવાર વચ્ચે મારામારી

શહેરના રૈયા ગામમાં બે પરિવાર ઘાતક હથિયારો સાથે આમને સામને આવી જતા આઠ વ્યક્તિને ઇજા થઇ છે. સંબંધ રાખવાના દબાણ મુદ્દે મામલો બિચક્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.સાગર ગોવિંદભાઇ જખાનિયાની પત્નીને અર્જુન ભીખાએ તું કેમ મારી સાથે સંબંધ નથી રાખતી તેમ કહી વાળ પકડી નીચે પછાડી હતી. બનાવની જાણ થતા પરિવારજનો દોડી ગયા હતા. મામલો વધુ બિચકતા અર્જુન, તેનો ભાઇ મુકેશ, રાજુ, હરજી ભના, બાબુ ભના, ગોપાલ બાબુ, નવઘણ બાબુ અને જોશના બાબુ પાઇપ, કુહાડી, ધોકા સાથે ધસી આવી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

હુમલામાં સાગરને તેમજ તેના પિતા, પત્નીને ઇજા થઇ હતી. સામા પક્ષે અર્જુન ભીખા અઘારિયાએ સાગર ગોવિંદ, વિરમ પોપટ, ગોવિંદ પોપટ, ધરમશી પોપટ, ધીરૂ પોપટ, રમેશ પોપટ, ધના પોપટ, હરસુખ ગોવિંદ, બાબર ગોવિંદ, શિવા વિરમ સામે વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં સાગરની પત્નીને સંબંધ રાખવાનું કહેતા તેના પતિ સહિતનાઓએ માથાકૂટ કરી પાઇપ, ધોકાથી હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં અર્જુન, તેનો ભાઇ, માતા-પિતાને ઇજા થઇ છે. યુનિવર્સિટી પોલીસે રાયોટ સહિતની કલમ હેઠળ સામસામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.મારામારીનો અન્ય બનાવ આરટીઓ પાછળ માલધારી સોસાયટી-4માં બન્યો હતો.

અહીં રહેતા વાણીબેન ચંદુભાઇ સોલંકી નામની પરિણીતાને પાડોશમાં રહેતા દીપક ભણા સોલંકી અને તેના દીકરા રાજુ ઉર્ફે બસો સામે માર મારી ઇજા કર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપી દીપક સોલંકીની પુત્રી અગાઉ કોઇ છોકરા સાથે ભાગી ગઇ હતી. જે મુદ્દે દીપકને શિખામણ આપી હોય તેનો ખાર રાખી આજે સવારે પોતે ઘર પાસે હતી. ત્યારે દીપકે અને તેના પુત્રે કચરો ઉપાડી લેવાનું કહી ઝઘડો કરી માર મારી ઇંટના છૂટા ઘા કરી ઇજા પહોંચાડી છે. બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી પિતા-પુત્રને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow