જેતપુરમાં ભાદરની કેનાલમાં કોઇ કલરયુક્ત પાણીનું ડ્રમ નાખી ગયું

જેતપુરમાં ભાદરની કેનાલમાં કોઇ કલરયુક્ત પાણીનું ડ્રમ નાખી ગયું

જેતપુરમાં ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગને બદનામ કરવાના કાવતરાના ભાગ રૂપે કોઇ આવારા શખ્સો ભાદર નદીની સિંચાઇની કેનાલમાં કલરયુક્ત પાણી ભરેલું આખું ડ્રમ નાખીને જતા રહ્યા હતા. આ બાબત ધ્યાને આવતાં ડ્રમને બહાર કાઢી લેવાયું હતું અને પાણી દુષિત થતું બચાવી લેવામાં આવ્યું હતું.

જો કે આ ઘટનાના પગલે પ્રિન્ટિંગ એન્ડ ડાઇંગ એસો.ના પ્રમુખે પોલીસ ફરિયાદ કરી આવા તત્વોને પકડીને બેનકાબ કરવા ભારપૂર્વક રજૂઆત કરી હતી. છેલ્લા ઘણા સમયથી જેતપુરના ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગને બદનામ કરવા માટે ઘણા હિતશત્રુઓ પ્રયત્નશીલ છે.

પ્રદૂષણને કાબુમાં કરવા માટે એસો. સતત પ્રયત્નશીલ છે, અને તે માટે મોટી ક્ષમતાના 2 CETP બનાવેલ છે અને તમામ વિસ્તારના કારખાનાઓને આવરીને કેમિકલ યુક્ત પાણી ત્યાં જ ભેગું કરવાની વ્યવસ્થા કરી છે. તેમ છતાં અમુક શખ્સ આ વ્યવસ્થામાં ભંગાણ પાડવા અને લોકોના આરોગ્યને હાનિ પહોંચાડવા માગતા હોય તેમ કેનાલમાં કલરયુક્ત પાણી ભરેલું ડ્રમ નાખીને જતા રહ્યા હતા.

આ અંગે એક કારખાનાના માલિકનું ધ્યાન જતાં તેમણે ત્યાંથી ડ્રમ બહાર કાઢી પાણી પ્રદુષિત થતું અટકાવ્યું હતું. જે જગ્યાએ આ બનાવ બન્યો ત્યાં કોઈ જ કારખાના આવેલા નથી, એ વિસ્તારમાં કોઇ કલરકામ થતું નથી. આથી પ્રથમ દ્રષ્ટિએ એવું જ લાગે છે કે કોઇએ આવું હિન કૃત્ય આ ઉદ્યોગને બદનામ કરવા જ કર્યું છે. આથી એસો. પ્રમુખ રામોલિયાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી આવા શખ્સોને બેનકાબ કરવા ભારપૂર્વક માગણી કરી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow