રાજસ્થાનમાં નજીકથી મુકાબલો, પરંતુ સરકાર બનાવીશું

રાજસ્થાનમાં નજીકથી મુકાબલો, પરંતુ સરકાર બનાવીશું

રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે કોંગ્રેસ તેલંગાણા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી જીતી રહી છે. રાજસ્થાનમાં મુકાબલો ભલે નજીકથી હોય, પરંતુ અમને વિશ્વાસ છે કે અમે જીતશું. રાજસ્થાનમાં લોકોનું કહેવું છે કે સરકાર સામે કોઈ આક્રોશ નથી. રાહુલ ગાંધી રવિવારે દિલ્હીમાં આસામની એક મીડિયા હાઉસ ઈવેન્ટમાં હાજર હતા, જ્યાં તેમણે આ વાત કહી હતી.

તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ જનતાના પ્રશ્નો પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે અનેક યુક્તિઓ અપનાવી રહ્યો છે. રાહુલે એમ પણ કહ્યું કે જ્યારે પણ સંસદમાં કોઈ મુદ્દો ઉઠાવવામાં આવે છે ત્યારે તેઓ ધ્યાન ભટકાવવા માટે આવી બાબતોનો ઉપયોગ કરે છે. અમે તેની સાથે કેવી રીતે લડવું તે જાણીએ છીએ.

કર્ણાટકની ચૂંટણીમાંથી બોધપાઠ લીધો રાહુલે જણાવ્યું હતું કર્ણાટકની ચૂંટણીમાંથી કોંગ્રેસે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ પાઠ ભણ્યો છે એ રીતે ભૂતકાળમાં ઘણી ચૂંટણીઓ જીતી છે. અમે બોધપાઠ લઈને કર્ણાટકની ચૂંટણી લડ્યા હતા. આ સિવાય એક દેશ, એક ચૂંટણી પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'આ લાકોનું ધ્યાન ભટકવાની ભાજપની રણનીતિ છે. હવે ભાજપ મુદ્દાઓ પર ચૂંટણી લડી શકશે નહીં. મહિલા અનામત સાથે જોડાયેલા સવાલના જવાબમાં રાહુલે કહ્યું કે જો તેઓ સત્તામાં આવશે તો તરત જ મહિલા અનામતને લાગુ કરશે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow