માતાનો હાથ છોડાવી રોડ ક્રોસ કરતા બાળકનું કારની ઠોકરે મોત નીપજ્યું

માતાનો હાથ છોડાવી રોડ ક્રોસ કરતા બાળકનું કારની ઠોકરે મોત નીપજ્યું

લોધિકા તાબેના માખાવડ ગામ નજીક માતાનો હાથ છોડાવી રોડ ક્રોસ કરવા જતા પાંચ વર્ષના માસૂમ બાળકનું કારની ઠોકરે મોત નીપજ્યું છે. બનાવનેપગલે ચાલક કાર મૂકી ભાગી જતા પોલીસે ચાલકની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

મૂળ બાબરા પંથકના અને છેલ્લા 10 દિવસથી માખાવડ ગામ પાસે આવેલી ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં પરિવાર સાથે રહી કારખાનામાં કામ કરતા સંજય લધુભાઇ ગોરાસવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, બુધવારે બપોરે પોતે પત્ની અને પાંચ વર્ષનો પુત્ર જયદીપ લોધિકા ખરીદી કરી પરત માખાવડ ચોકડી પહોંચ્યા હતા. વાહનમાંથી ઉતરતા પત્નીએ પુત્રનો હાથ પકડ્યો હતો.

ત્યારે પુત્ર જયદીપે પત્નીનો હાથ છોડી રોડ ક્રોસ કરવા દોડ્યો હતો. આ સમયે પૂરઝડપે ધસી આવેલી કારે જયદીપને ઠોકરે ચડાવ્યો હતો. જેમાં જયદીપને ગંભીર ઇજા થતા તેને રાજકોટ સિવિલમાં લઇ આવ્યા હતા. પરંતુ અહીં તેનું મોત નીપજ્યું હતું.

અન્ય બનાવમાં કુવાડવાના સણોસરા ગામે રહેતા માવજીભાઇ ગેલાભાઇ સાથળિયા તેનો પુત્ર સવશી બુધવારે આઠમ નિમિત્તે લુણીધાર માતાજીનો માંડવામાં ગયા હતા. ત્યાંથી નોંધણવદરમાં કૌટુંબિક પરિવારને ત્યાં નૈવેદ્ય હોય હાજરી આપી બંને બાઇક પર પરત ફરતી વખતે વાસાવડથી દડવા વચ્ચે કૂતરું આડે ઉતરતા પુત્ર સવશીએ બાઇકનો કાબૂ ગુમાવતા સ્લિપ થયું હતું. જેમાં સવશીને સામાન્ય ઇજા જ્યારે માવજીભાઇને ગંભીર ઇજા થતા રાજકોટ ખસેડાયા હતા અને તેમનું સારવારમાં મોત નીપજ્યું છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow