મુંબઈમાં દરિયા કિનારે ચાલ્યું બુલડોઝર

મુંબઈમાં દરિયા કિનારે ચાલ્યું બુલડોઝર

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના સુપ્રીમો રાજ ઠાકરેની ચેતવણી બાદ મુંબઈમાં માહિમ બીચ પર નિર્માણાધીન દરગાહને તોડી પાડવામાં આવી છે. બુલડોઝરની મદદથી અતિક્રમણ સ્થળને તોડી પાડવામાં આવ્યું છે. મહાનગરપાલિકાની ટીમ તેને પણ તોડી રહી છે. આ દરમિયાન ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રાજ ઠાકરેએ આરોપ લગાવ્યો હતો

રાજ ઠાકરેએ આરોપ લગાવ્યો હતો કે માહિમ બીચ પર ગેરકાયદે દરગાહ બનાવવામાં આવી રહી છે. રાજ ઠાકરેએ પ્રશ્ન ઉઠાવતા જ ગુરુવારે સવારે બુલડોઝર માહિમ બીચ પર પહોંચી ગયું હતું. અતિક્રમણ સ્થળના ડિમોલિશન દરમિયાન ડઝનબંધ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.

રાજ ઠાકરેની ચેતવણી બાદ કરવામાં આવી કાર્યવાહી

ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેએ 22 માર્ચે એક રેલી દરમિયાન ચેતવણી આપી હતી. રાજ ઠાકરેએ કહ્યું હતું કે માહિમ બીચ પર દરિયામાં ગેરકાયદે બાંધકામ થયું છે. તેણે તેનો વીડિયો પણ બતાવ્યો. આ દરમિયાન ઠાકરેએ કહ્યું કે માહિમ બીચ પર એક અનધિકૃત કબર બનાવવામાં આવી છે. તેમણે ચેતવણી આપી હતી કે જો એક મહિનામાં તેને તોડી પાડવામાં નહીં આવે તો તેની નજીક એક મોટું ગણપતિ મંદિર બનાવવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે રાજ ઠાકરેની ચેતવણી બાદ અધિકારીઓએ ગેરકાયદે બાંધકામને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. સત્તાધીશોના આદેશથી જ અનઅધિકૃત બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow