સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે કાળી ઈલાયતી, આ જીવલેણ બીમારીઓને દૂર કરવામાં છે ફાયદાકારક

સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે કાળી ઈલાયતી, આ જીવલેણ બીમારીઓને દૂર કરવામાં છે ફાયદાકારક

લીલી ઈલાયચી વિશે તો બધા જાણે છે. ઈલાયચીનો રંગ કાળો પણ હોય છે. કાળી ઈલાયચીનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. કાળી ઈલાયચી ઔષધીય ગુણોનો ભંડાર છે.

તે ખાવાનો સ્વાદ તો વધારે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કાળી ઈલાયચીમાં રહેલા પોષક તત્વો અનેક જીવલેણ રોગોને દૂર કરવાનું કામ કરે છે. ચાલો જાણીએ કાળી ઈલાયચીના ફાયદાઓ વિશે.  

મોઢાની દુર્ગંધ થશે દૂર
એલચીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. તે મોઢામાં રહેલા બેક્ટેરિયાને મારીને દુર્ગંધ દૂર કરવાનું કામ કરે છે. કાળી ઈલાયચી પેઢાના ઈન્ફેક્શનને પણ મટાડે છે.

પાચનમાં ફાયદાકારક
કાળી ઈલાયચી પાચન માટે ફાયદાકારક છે. જેના કારણે ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર થાય છે. કાળી એલચીના સેવનથી પેટ ફૂલવાની સમસ્યામાં પણ રાહત મળે છે.  

પથરીનો ખતરો રહે છે દૂર
તેમાં રહેલા ગુણ શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. તે કિડનીને સાફ કરે છે. કાળી ઈલાયચીના સેવનથી પથરીનો ખતરો દૂર થાય છે.

હાર્ટ હેલ્ધ માટે ફાયદાકારક
કાળી ઈલાયચીમાં રહેલા પોષક તત્વો બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ખાવાથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થાય છે. તે હૃદયના ધબકારા પણ સામાન્ય રાખે છે.

શરદી ખાંસીમાંથી છુટકારો
કાળી એલચીમાં રહેલા ઔષધીય ગુણો રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરદી, ઉધરસ અને તાવ જેવા ચેપી રોગોના જોખમને દૂર કરે છે. તેને ગરમ કર્યા બાદ ખાવાથી ઉધરસમાં આરામ મળે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow