શરીર ઠૂંઠવી નાખે તેવો કાતિલ પવન 22 કિ.મી.ની ઝડપે ફૂંકાયો

શરીર ઠૂંઠવી નાખે તેવો કાતિલ પવન 22 કિ.મી.ની ઝડપે ફૂંકાયો

રાજકોટમાં કાતિલ ઠંડીનો દોર બુધવારે પણ ચાલુ રહ્યો હતો. બુધવારે રાજકોટ 8.7 ડિગ્રી સાથે સૌરાષ્ટ્રમાં સૌથી ઠંડું શહેર રહ્યું હતું. હવામાન ખાતાના જણાવ્યાનુસાર હજુ આ સપ્તાહ ઠંડી યથાવત્ રહેશે. ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, તો બીજી બાજુ યાર્ડમાં શાકભાજીની આવકો ઘટી છે.  

સતત ઠંડી રહેવાને કારણે લોકો હાલ બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે એટલે કુદરતી કર્ફ્યૂ હોઈ એવી પરિસ્થિતિ સર્જાઈ છે.  

નાના બાળકો, યુવાનો અને વડીલો શરદી-ઉધરસનો ભોગ બની રહ્યા છે. ઠંડીથી બચવા માટે લોકો ઘરમાં અને જાહેર ચોકમાં રોડ-રસ્તા પર તાપણાનો સહારો લેતા જોવા મળે છે.

યાર્ડના ઇન્સ્પેક્ટરના જણાવ્યા મુજબ હાલ ઠંડીને કારણે શાકભાજી લઈને આવતા ખેડૂતોની સંખ્યા ઘટી છે. એવી જ રીતે રાજ્ય બહારથી આવતા અને અહીંથી મોકલાતા શાકભાજીની હેરફેર પ્રભાવિત થઈ છે. સતત ઠંડી અને કાતિલ પવનો ફૂંકાવાને કારણે શાકભાજીના ઉત્પાદન પર અસર આવી છે.  

રાજકોટમાં સવારે લઘુતમ 8.7 ડિગ્રી તાપમાન રહ્યું હતું જ્યારે મહત્તમ તાપમાન 25.6 ડિગ્રી રહ્યું હતું. 22 કિમીની ઝડપે પવન ફૂંકાતા લોકો ઠુંઠવાયા હતા.

કોલ્ડવેવમાં લોકોને સાવચેતી રાખવા સૂચના
1 ગરમ કપડાં પહેરવા, દરવાજા અને બારીઓ યોગ્ય રીતે બંધ કરવાની ખાતરી કરો જેથી ઠંડા પવન ઘરમાં ન આવે.
2 પૂરતી રોગપ્રતિકારક શક્તિ જાળવવા માટે વિટામિન-Cથી ભરપૂર ફળો અને શાકભાજીનું સેવન કરવું જોઈએ.
3 શિયાળામાં ફ્ક્ત વહેતું ભરેલું નાક અથવા નાકમાંથી રક્તસ્ત્રાવ જેવી વિવિધ બીમારીઓની શક્યતા વધી જાય છે, આવા લક્ષણો માટે આરોગ્ય કેન્દ્ર અથવા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.  

4 આંગળીઓ વડે ગ્લોવ્સ કરતાં મિટન્સ (આંગળીઓ વિના) પસંદ કરો, મિટન્સ ઠંડીથી વધુ હૂંફ અને ઇન્સ્યૂલેશન પ્રદાન કરે છે, કારણ કે આંગળીઓ તેમની હૂંફ વહેંચે છે અને સપાટીના ઓછા વિસ્તારને ઠંડાથી બહાર કાઢે છે
5 ફેફસાંને સુરક્ષિત રાખવા મોં અને નાકને ઢાંકો. કોરોના કે અન્ય શ્વસન ચેપથી બચવા માટે બહાર જતી વખતે માસ્ક પહેરવું જોઈએ.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow