રિષભ પંત મામલે આવ્યું મોટું અપડેટ, હોસ્પિટલમાંથી આવેલી તસવીરે ચાહકોને આપી રાહત

રિષભ પંત મામલે આવ્યું મોટું અપડેટ, હોસ્પિટલમાંથી આવેલી તસવીરે ચાહકોને આપી રાહત

ભારતીય ક્રિકેટ ટીમનો ખેલાડી ઋષભ પંત શુક્રવારે વહેલી સવારે માર્ગ અકસ્માતનો શિકાર બન્યો હતો. જેમા પંતને માથા અને પગ સહિતના શરીરના અનેક ભાગોમાં ગંભીર ઇજા પહોંચી છે.  

જે ઘટના બાદ ઇજાગ્રસ્ત ઋષભ પંત માટે દેશ આખો પ્રાર્થના કરી રહ્યો છે. હાલ તેની દેહરાદુન ખાતે આવેલી મેક્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યાંની એક તસ્વીર સામે આવી છે. આ દરમિયાન ખાનપુરના ધારાસભ્ય અને પંતના મિત્ર ઉમેશ શર્મા પંતના ખબર પૂછવા હોસ્પિટલ દોડી ગયા હતા. તેઓએ ફોટોને સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે.


ઉમેશ શર્મા પંતના ખબર પૂછવા હોસ્પિટલ દોડી ગયા

પોસ્ટ કરેલી આ ફોટોમાં ઋષભ પંતનો પૂરો (માતા સરોજ અને બહેન સાક્ષી) સિવાય ક્રિકેટર નીતિશ રાણા પણ જોવા મળે છે. આ તસવીર જોઈને લાગી રહ્યું છે કે ઋષભ પંતની હાલત હવે સારી હશે.


શુ હતો સમગ્ર મામલો

ભારતીય સ્ટાર ક્રિકેટર પંતની કારને રૂરકી નજીક મોહમ્મદપુર જાટ વિસ્તારમાં અકસ્માત નડ્યો હતો. ઈજાગ્રસ્ત થયા બાદ રિષભને રૂડકીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.  

108 એમ્બ્યુલન્સના ફાર્માસિસ્ટ મોનુ કુમારે જેમાં ઋષભ પંતને ઘટનાસ્થળેથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.ફાર્માસિસ્ટ મોનુ કુમારે જણાવ્યું કે શુક્રવારે સવારે 5.40 વાગ્યે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં સુધીમાં ત્યાંથી પસાર થતા એક બસ ચાલકે ઋષભને ખરાબ રીતે સળગતા વાહનમાંથી બહાર કાઢ્યો હતો.  

આ પછી, તેણે તરત જ ઋષભને સ્ટ્રેચર પર બેસાડી અને તેને એમ્બ્યુલન્સમાં રાખ્યો. ત્યારબાદ ઋષભને આંખમાં ઈજા થઈ હતી, નાકમાંથી લોહી નીકળતું હતું, પીઠના ભાગે છાલ થઈ ગઈ હતી અને પગમાં પણ ઈજા થઈ હતી. આ દરમિયાન જ્યારે મોનુએ દર્દીને તેનું નામ પૂછ્યું તો ઋષભ ફાર્માસિસ્ટ મોનુને કહ્યું કે તે ભારતીય ક્રિકેટ ટીમનો ખેલાડી રિષભ પંત છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow