કુવાડવામાં કારે અડફેટે લેતા 10 વર્ષના બાળકનું મોત

કુવાડવામાં કારે અડફેટે લેતા 10 વર્ષના બાળકનું મોત

રાજકોટના કુવાડવા ગામમાં રહેતો જયેશ ઉર્ફે ચીકી સવજીભાઇ ગોહેલ (ઉં.વ.10) ગઇકાલે પોતાના ઘર પાસે ચાલીને જતો હતો. ત્‍યારે જીજે.03.એચઆર.5584 નંબરની વેગનઆર કારના ચાલકે પૂર ઝડપે આવી જયેશને અડફેટે લેતા તેને માથા તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી. અકસ્‍માત સર્જાતા ચાલક કાર રેઢી મૂકી ભાગી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને જયેશને સારવાર માટે કુવાડવા આરોગ્‍ય કેન્‍દ્રમાં ખસેડાયો હતો. ત્‍યાં તેનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્‍યુ હતું.

પિતા ડ્રાઇવિંગનું કામ કરે છે
મૃતક જયેશ એક બહેન અને બે ભાઇમાં નાનો હતો. પિતા ડ્રાઇવિંગ કરે છે અને પોતે ધોરણ 4માં અભ્‍યાસ કરતો હતો. આ બનાવ અંગે કુવાડવા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.કે. પાંડાવદરા સહિતે સ્‍થળ પર પહોંચી મૃતક જયેશના પિતા મહેન્‍દ્રભાઇ ગોહેલની ફરિયાદ પરથી કારના ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ફરાર આરોપીએ આગોતરા જામીન અરજી કરી
વ્યાજખોરોના ત્રાસથી સોની પરિવારે કરેલા સામુહિક આપઘાત કેસમાં ફરાર આરોપી યુવરાજસિંહ ઝાલાએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. આ અરજી માન્ય રાખી ફરિયાદીની ફરિયાદ કે ડાઇંગ ડિક્લેરેશનમાં યુવરાજસિંહનું નામ નથી છતાં પોલીસ ખોટી રીતે ફિટ કરવા માગતી હોવાનો આગોતરા જામીન અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow